ઈરાનના હુમલા બાદ આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે કે ઈઝરાયેલ ક્યારે અને કેવી રીતે જવાબ આપશે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદનમાં કહ્યું છે કે તેમનો દેશ ઈરાન સામે ચોક્કસપણે જવાબી કાર્યવાહી કરશે અને નેતન્યાહુએ ઈરાનના આ હુમલાને ઈતિહાસના સૌથી મોટા મિસાઈલ હુમલાઓમાંથી એક ગણાવ્યો છે.
એક વીડિયો સંદેશમાં ઈઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે, ઈરાને બે વખત અમારા વિસ્તાર અને અમારા શહેરો પર સેંકડો મિસાઈલો છોડી છે, જે ઈતિહાસના સૌથી મોટા બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓમાંનો એક છે. નેતન્યાહુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીએ શુક્રવારે ઈઝરાયેલને ખુલ્લેઆમ ધમકી આપી હતી.
કોઈ પણ દેશ ઈરાનના આ પગલાંને સહન નહીં કરે
ગયા મંગળવારે ઈરાને ઈઝરાયેલના સૈન્ય મથકો પર ડઝનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. એપ્રિલ પછી તેહરાન તરફથી આ બીજો સીધો હુમલો છે, જે બાદ ઈરાન પર ઈઝરાયેલની સખ્ત પ્રતિક્રિયાની અપેક્ષા છે. ઈઝરાયેલના વડા પ્રધાને કહ્યું કે વિશ્વનો કોઈ દેશ તેના શહેરો અને નાગરિકો પર આવા હુમલાને સહન કરશે નહીં અને યહૂદી રાજ્ય પણ આવું નહીં કરે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલને પોતાની રક્ષા કરવાની અને આ હુમલાઓનો જવાબ આપવાની ફરજ અને અધિકાર છે અને અમે તે કરીશું.
આંતરરાષ્ટ્રીય સમર્થન માટે આહ્વાન
નેતન્યાહુએ મિસાઈલ હુમલાને ઈરાનની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ ગણાવ્યો છે, જેના હેઠળ તે ઈઝરાયેલ વિરુદ્ધ અનેક મોરચે યુદ્ધને વધારવા માંગે છે. આ માટે તે લેબનોનમાં હિઝબુલ્લાહ અને ગાઝામાં હમાસ સહિત સમગ્ર મધ્ય પૂર્વમાં તેની 6 પ્રોક્સીઓનો ઉપયોગ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ઈઝરાયેલ ઈરાનની આગેવાની હેઠળની બર્બર શક્તિઓ સામે લડી રહ્યું છે, તમામ સભ્ય દેશોએ ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા રહેવું જોઈએ. તેમણે ઈરાન સામે ઈઝરાયેલની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સમર્થનની હાકલ કરી હતી અને ઈઝરાયેલનો સાથ આપવાની વાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાજ્ઞવલ્કય વિદ્યા મંદિરમાં ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો
May 03, 2025 12:57 PMસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech