ભાટીયામા તા. ૩૧ ના રોજ ૮૫ મો મોતીયાના ઓપરેશન સાથેનો વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે

  • July 26, 2022 03:59 PM 

કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ -ભાટીયાના આર્થિક સહયોગથી આયોજીત  અને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ(આંખની) હોસ્પીટલ-રાજકોટ દ્વારા વિના મુલ્યે નેત્રનિદાન કેમ્પ તથા મોતીયાના ઓપરેશન સાથે *૮૫* મા કેમ્પ નુ આયોજન તા.૩૧-૦૭-૨૦૨૨ના રવિવારે ભાટીયા ખાતે સરકારી દવાખાનામા સવારે ૯થી૧૨  સુધી રાખવામા આવેલ છે જેમા આંખના દર્દીઓનુ નિદાન કરી જરૂરીયાતવાળા દર્દીઓને ટીપા આપવામા આવશે તથા મોતીયાના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને  રણછોડદાસબાપુ હોસ્પીટલની બસ દ્વારા રાજકોટ લઈ જઈ,આધુનીક ફેકૌ મશીન દ્વારા ટાંકા વગરનુ ઓપરેશન કરી વિના મુલ્યે નેત્રમણી બેસાડી આપવામા આવશે તથા દર્દીઓને,રહેવા,જમવા, ચા-નાસ્તો,ચશ્મા,દવા-ટીપા,તથા ઓપરેશનની તમામ સારવાર વિના મુલ્યે કરી કેમ્પના સ્થળે ભાટીયા ખાતે પરત મુકવામા આવશે. *ખાસ નોંધઃદરેક દર્દી ભગવાને આધાર કાર્ડ ફરજીયાત સાથે લાવવાનુ રહેશે.

આ આંખના કેમ્પનો લાભ લેવા કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના પ્રમુખ-કિશોરભાઈ દત્તાણીએ જાહેર આમંત્રણ આપી આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરેલ છે.આ કેમ્પમા ચશ્માના નંબર કાઢી આપવામા આવશે નહી. માહીતી માટે મો.-૯૪૨૭૪૨૦૧૧૧ છે. નોંધઃદર મહીનાના છેલ્લા રવીવારે ભાટીયા ખાતે કેમ્પ નક્કી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application