એસપી, ડીવાએસપી, તમામ થાણા અધિકારીઓ, એલસીબી, એસઓજી સહીતનો કાફલો જોડાયો
આગામી ૨૭મીએ ભાવનગરના માર્ગો પરથી જગતના નાથની નગરયાત્રા પ્રસ્થાન થનાર છે. ત્યારે ભગવાન જગન્નાથજીની નગરયાત્રા પુર્વે ભાવનગર પોલીસે રૂટ ઉપર પેટ્રોલીંગ અને રથયાત્રાના રૂટ ઉપર આવતા સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. એસપી, ડીવાય.એસપી, તમામ પીઆઈ, પીએસઆઈ સાથે એલસીબી, એસઓજી સહીત મસમોટો પોલીસ કાફલો પેટ્રોલીગમાં જોડાયો હતો.
અષાઢી બીજના પાવન પર્વએ આગામી તા. ૨૭મી જુનના દિવસે સમગ્ર દેશની ત્રીજા નંબરની જ્યારે ગુજરાત રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની ૪૦મી નગરયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પ્રસ્થાન થનાર છે. ત્યારે તેના ભાગરૂપે ગત રાત્રીના પોલીસ તંત્ર દ્રારા રથયાત્રાના ૧૭.૫ કિમીના રૂટ ઉપર વાહનો મારફતે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતું જયારે રથયાત્રાના રૂટ ઉપર આવતા સંવેદન શીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ.
આ પેટ્રોલીંગ દરમિયાન જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં સીટી ડીવાયએસપી, પાંચેય ડીવીઝનના પીઆઈ, પીએસઆઈ, લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ, સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ સહીત મસમોટો પોલીસ સ્ટાફ જોડાયો હતો. અને રૂટ ચકાસણી કરી હતી.
પેટ્રોલીંગને લઈ જિલ્લા પોલીસ વડા પટેલે જણાવ્યુ હતું કે, અગાઉથી તૈયારની મકસદ સાથે રથયાત્રાના ૧૭.૫ કિલો મીટરના રૂટ ઉપર કોઈપણ જગ્યાએ રસ્તાના રિપેરીંગ કે નવા બની રહેલા બિલ્ડીગનું એસેસમેન્ટ કરવાનું હોય તેમજ પોલીસ બેડામાં નવા આવેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા હોય તો રથયાત્રા અને તેના રૂટથી વાકેફ થાય તે મકસદ સાથે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન બનેલા ગુનાઓનું એસેસમેન્ટ કરી રથયાત્રાના સબંધે અટકાયતી પગલાઓની પણ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMઝડપથી શરૂ કરો, સતત રોકાણ કરો: નાની SIP થી પણ બની જશો કરોડપતિ, જાણો ફોર્મ્યુલા
June 09, 2025 08:06 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech