આજે હિન્દી ફિલ્મોના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન બંગાળી માર્કેટની ચાટ અને ચાંદની ચોકની પરાઠા વાલી ગલીના પરાઠાને ભૂલી શક્યા નથી. અમિતાભ બચ્ચન એક ખાનગી ટીવી ચેનલ પર ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ' હોસ્ટ કરી રહ્યા છે. આ ટીવી શોના પ્રોમોમાં અમિતાભ બચ્ચન એક સ્પર્ધકને પૂછે છે કે અહીંથી પૈસા જીત્યા પછી તે શોપિંગ માટે કયા મોલમાં જાસો. અમિતાભ બચ્ચનના આ સવાલનો જવાબ આપતા સ્પર્ધકે કહ્યું કે 'મોલમાં શોપિંગ કરવાની એટલી મજા નથી જેટલી દિલ્હીના સરોજિની નગર અને લાજપત નગર માર્કેટમાં હોય છે.
આ બજારોમાં ખરીદી કરવાની એક અલગ જ મજા છે. સ્પર્ધકને જવાબ આપતા અમિતાભ બચ્ચને કહ્યું, એક દમ દિલ કી બાત કહ દી આપને. તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો માટે સરોજિની માર્કેટ, બંગાળી માર્કેટની ચાટ અને ચાંદની ચોકની પરંથા ગલી સૌથી મહત્વપૂર્ણ જગ્યાઓ છે. અમિતાભ બચ્ચને દિલ્હીની કિરોરી માલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તાજેતરમાં જ અમિતાભે કહ્યું હતું કે તેમના કામ અને દિનચર્યામાં બદલાવ આવ્યો છે, તે હવે વહેલા ઉઠે છે અને આરામ કરે છે. અમિતાભ બચ્ચન છેલ્લે નાગ અશ્વિનની "કલ્કી 2898 એડી" ફિલ્મમાં જોવા મળ્યા હતા. હવે તે આગામી સમયમાં સુપરસ્ટાર રજનીકાંત સાથે ટી.જે. જ્ઞાનવેલ દ્વારા નિર્દેશિત 'વત્તાયન'માં જોવા મળશે.
KBCમાં સ્પર્ધકો સાથેની રમૂજી વાતચીત થઈ રહી છે વાયરલ
સુપરહિટ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની 16મી સીઝન સોની ટીવી પર પ્રસારિત થઈ રહી છે. અહીં દરરોજ નવા નવા સ્પર્ધકો જોવા મળી રહ્યા છે. આ શોના પાર્ટિસિપન્ટ્સ સાથે અમિતાભ બચ્ચનની ફની વાતચીત પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં જ સ્પર્ધક સાથેની વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને દિલ્હીની પરાંઠા ગલી અને બંગાળી બજારની ચાટ યાદ કરી હતી. જ્યારે અન્ય એક સ્પર્ધક પ્રણતિએ અમિતાભ બચ્ચનને પૂછ્યું કે, જો તમે તમારી પ્રોફાઇલ ડેટિંગ એપ પર બનાવી હોત તો તમે તમારા બાયોમાં શું લખ્યું હોત. તેના જવાબમાં અમિતાભ બચ્ચન તરફથી પણ ફની રિપ્લાય આવ્યો હતો. જેમાં અમિતાભ બચ્ચને કહ્યું કે દેવી જી, હું પરિણીત છું, ટ્રેન પ્લેટફોર્મ પરથી નીકળી ગઈ છે, હવે કંઈ થઈ શકે તેમ નથી. આ પછી ચેનલ દ્વારા એક રસપ્રદ પ્રોફાઇલ શો કરવામાં આવ્યો. જેને જોઈને બધા હસવા લાગ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech