જામનગરમાં અંબર સિનેમા રોડ પરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહેલા વૈષ્ણવ વણિક વેપારીને એક કાર ના ચાલકે ઠોકરે ચડાવી ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર ટોકીઝ સામેના વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા ભરતભાઈ કુંવરિયા નામના વૈષ્ણવ વણિક વેપારી કે જેઓ પોતાનું બાઇક લઈને અંબર સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. ૧૦ ડી.જે. ૪૪૯૭ નંબરની ટાટા પંચ કાર ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ભરતભાઈ ને ડાબા હાથમાં અને ડાબા પગમાં તેમજ માથાના ભાગે ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હતી, અને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. તેઓની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત વેપારીના પુત્ર દેવેન્દ્ર ભરતભાઈ કુંવારીયાએ સી ટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech