સીએમએ કોર્પોરેટરોને કહ્યું આધ્યાત્મિક પ્રશ્નો હોય તો પણ પૂછજો, હું તેનો જવાબ આપીશ

  • June 07, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગઈકાલે રાજકોટ ખાતે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવ્યા હતા અને તેમણે શહેરના તમામ કોર્પોરેટર સાથે સંવાદનો એક કાર્યક્રમ યોજ્યો હતો અને કોર્પોરેટરોએ રજૂ કરેલા પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. લગભગ એકાદ કલાક સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ કોર્પોરેટરોને સંબોધીને મજાકમાં કહ્યું હતું કે જો કોઇને આધ્યાત્મિક પ્રશ્નો હોય તો પણ પૂછજો, હું તેનો પણ જવાબ આપીશ અને તેનું પણ નિરાકરણ કરીશ. મુખ્યમંત્રીના મુખેથી આવા શબ્દો સાંભળીને કોર્પોરેટરોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

પૂ.દાદા ભગવાનના અનન્ય અનુયાયી અને આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગઇકાલે રાજકોટની મુલાકાત દરમિયાન ખુબ જ હળવા મૂડમાં હતા. કોર્પોરેટરો ઉપરાંત શહેર ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સહિતનાઓ સાથે હસી મજાક કરી ભારેખમ વાતાવરણને તેમના હકારાત્મક અભિગમથી હળવું ફૂલ બનાવતા નજરે પડ્યા હતા. આર્ટ ગેલેરીના લોકાર્પણ વેળાએ તેમણે કલાકારો સાથે મુક્ત મને નિખાલસ વાતચીત કરી હતી.


પતિ કે પત્ની જે કોર્પોરેટર હોય તે ઘરે કકળાટ ઠાલવે !

મુખ્યમંત્રીએ કોર્પોરેટરો સાથેના સંવાદના અંતે હળવા મૂડમાં એમ પણ જણાવ્યું હતું કે પતિ કે પત્ની બંનેમાંથી જે કોઈ કોર્પોરેટર હોય તે ઘરે જઈને પોતાનો કકળાટ ઠાલવતા જ હોય ! જો પતિ કોર્પોરેટર હોય તો તે પત્ની ઉપર કપડા ઠાલવે અને જો પત્ની કોર્પોરેટર હોય તો તે પતિ ઉપર કપડા ઠાલવે આવું બનતું હોય છે. આ બાબતનો મને ખ્યાલ છે કારણ કે હું પણ કોર્પોરેટર રહી ચૂક્યો છું. સાંસદો અને ધારાસભ્યો સમક્ષ જેટલા લોકપ્રશ્નો આવે તેનાથી વધુ અને કદાચ સૌથી વધુ લોકપ્રશ્નો કોર્પોરેટરો પાસે આવતા હોય છે તેથી આવું બને તે સ્વાભાવિક છે તેમ કહી મુખ્યમંત્રી હસવા લાગ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application