કેનેડા હજી પણ ભારત સામે આગ ઓકવાનું બંધ નથી કરી રહ્યો,કેનેડિયન કમિશનના રિપોર્ટમાં ભારત પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તે આપણા દેશની ચૂંટણીમાં દખલ કરી રહ્યો છે. જેનો ભારતે એવો જવાબ આપ્યો કે ટ્રુડો તેને જીવનભર યાદ રાખશે.
ભારતે કેનેડિયન કમિશનના અહેવાલમાં તેના પર લગાવવામાં આવેલા આક્ષેપો ને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા.
કમિશને કેનેડાની ચૂંટણીઓમાં કેટલીક વિદેશી સરકારો હસ્તક્ષેપ કરી રહી હોવાના આરોપોની તપાસ કરી હતી. વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તે ભારત પરના અહેવાલના આક્ષેપો ને નકારી કાઢે છે. તેમણે કહ્યું કે તેના બદલે, કેનેડા ભારતના આંતરિક બાબતોમાં ’સતત દખલ’ કરી રહ્યું છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું, અમે કથિત હસ્તક્ષેપ પ્રવૃત્તિઓ અંગેનો અહેવાલ જોયો છે.કેનેડા ભારતના આંતરિક બાબતોમાં સતત દખલ કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે કેનેડાએ ગેરકાયદેસર સ્થળાંતર અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વાતાવરણ બનાવ્યું છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપતી સપોર્ટ સિસ્ટમનો અંત લાવવાની જરૂર છે જેથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી શકે.
રિપોર્ટમાં ભારત સામે કયા આરોપો છે
કેનેડિયન ફોરેન ઇન્ટરફરન્સ કમિશનના અહેવાલ મુજબ, ભારત કેનેડામાં ચૂંટણીલક્ષી વિદેશી હસ્તક્ષેપમાં સામેલ બીજો સૌથી સક્રિય દેશ બની ગયો છે. રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભારત કેનેડામાં રાજદ્વારી અધિકારીઓ અને પ્રોક્સી એજન્ટો દ્વારા કેનેડાની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રોક્સી એજન્ટ દ્વારા વિવિધ કેનેડિયન રાજકારણીઓને ગેરકાયદેસર નાણાકીય સહાય આપવામાં આવી હતી. જેથી ભારત તરફી ઉમેદવારોની ચૂંટણીમાં ફેરફાર કરી શકાય. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે ચૂંટાયેલા અધિકારીઓ અથવા ઉમેદવારોને આ દખલગીરીના પ્રયાસોની જાણ નહોતી અને આ પ્રયાસો સફળ થયા ન હતા. આ ઉપરાંત કેનેડાએ પોતાના રિપોર્ટમાં પાકિસ્તાન, રશિયા અને ચીન પર ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે અને તપાસની માંગ કરી છે.
ભારત-કેનેડા સંબંધોમાં તિરાડ
સપ્ટેમ્બર 2023માં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો પછી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પહેલેથી જ તણાવપૂર્ણ છે. ટ્રુડોએ કેનેડિયન સંસદમાં ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા અને તેમને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા. ત્યારથી, બંને દેશોએ એકબીજાના હાઇ કમિશનરો સહિત અનેક રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે, જેના કારણે સંબંધો વધુ બગડ્યા છે.
ભારત-કેનેડા રાજદ્વારી તણાવ વધ્યો
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે, ખાસ કરીને વિદેશી હસ્તક્ષેપ અને ખાલિસ્તાની મુદ્દાને લઈને. આ રિપોર્ટ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ખરાબ કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ કેવી રીતે ઉકેલાય છે અને બંને દેશો પોતાના સંબંધોને સામાન્ય બનાવવા માટે શું પગલાં લે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech