કેન્સર એ વિશ્વની સૌથી ઘાતક બિમારીઓમાંની એક છે, જે ત્યારે થાય છે જ્યારે કેન્સરના કોષો અસામાન્ય રીતે વધે છે. આના માટે એક નહીં પરંતુ ઘણા કારણો હોઈ શકે છે. આમાં ખરાબ જીવનશૈલી, સિગારેટ-ગુટખા, દારૂનું વધુ પડતું સેવન સામેલ હોઈ શકે છે, પરંતુ નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે ’બેડ લક ’ , ખરાબ નસીબ પણ કેન્સરનું સૌથી મોટું કારણ બની શકે છે.
અમેરિકાના જોન્સ હોપક્ધિસ કિમેલ કેન્સર સેન્ટરના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કેન્સરના બે તૃતીયાંશ કેસ બેડ લકને કારણે થાય છે. મતલબ કે મોટાભાગના કેન્સર ખરાબ નસીબને કારણે થાય છે.
અમેરિકન વૈજ્ઞાનિકોએ આંકડાકીય મોડેલમાંથી શોધી કાઢ્યું છે કે પુખ્ત વયના લોકોમાં મોટાભાગના કેન્સર રેન્ડમ મ્યુટેશનને કારણે થાય છે, જે સ્ટેમ સેલના વિભાજન દરમિયાન થાય છે. જોન્સ હોપક્ધિસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર બર્ટ વોગેલસ્ટીને જણાવ્યું હતું કે તમામ પ્રકારના કેન્સર પયર્વિરણીય પરિબળો, ખરાબ નસીબ અને આનુવંશિકતાને કારણે થાય છે.
આ માટે, એક મોડેલ બનાવવામાં આવ્યું હતું જે જણાવે છે કે ત્રણમાંથી કયું કેન્સરનું સૌથી મોટું કારણ છે. પ્રોફેસર બર્ટે ચેતવણી આપી છે કે ખરાબ જીવનશૈલી કેન્સરમાં ખરાબ નસીબનું પરિબળ વધારી શકે છે. આ સંશોધન જણાવે છે કે ધૂમ્રપાન અને ખરાબ જીવનશૈલી કેન્સરનું જોખમ વધારી શકે છે.
યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસિન અને બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્રિશ્ચિયન ટોમોસેટી કહે છે કે જો પેશીઓમાં કેન્સરના બે તૃતીયાંશ કેસ સ્ટેમ સેલના વિભાજન દરમિયાન થતા રેન્ડમ ડીએનએ મ્યુટેશનને કારણે હોય, તો તમે તેને દોષ આપી શકો છો. જીવનશૈલી અને આદતોમાં ફેરફાર કરીને તમે તેને રોકી શકો છો પરંતુ ઘણા કેન્સરમાં તે બિલકુલ કામ કરશે નહીં. વ્યક્તિએ હંમેશા કેન્સરના પ્રારંભિક લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
એક સંશોધનનો તુલનાત્મક અભ્યાસ કયર્િ પછી, વૈજ્ઞાનિકોને ખબર પડી કે સ્ટેમ સેલ જીવનભર 31 પેશીઓમાં વિભાજીત થાય છે અને તેમાંથી કેન્સરનું જોખમ ઉભું થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 60% કેન્સર સ્ટેમ સેલના વિભાજન અને પરિવર્તનને કારણે થાય છે. વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયાને ’બેડ લક’, દુભર્ગ્યિ ગણાવી છે. આના કારણે 22 પ્રકારના કેન્સર થઈ શકે છે, જ્યારે બાકીના 9 કેન્સર પયર્વિરણીય પરિબળો અથવા અનિયમિત જીવનશૈલીને કારણે થાય છે. આવી સ્થિતિમાં દરેકે સાવચેત રહેવાની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech