સંગઠન સંરચના અંતર્ગત આજે પ્રમુખની નિયુકિત માટેની દાવેદારીના ફોર્મ ભરવામાં આવનાર હોય રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારે ૯–૩૦ કલાકથી દાવેદારો ઉમટી પડા હતા અને દાવેદારીના ફોર્મ રજૂ કર્યા હતા. આગામી તા.૧૦ જાન્યુઆરી સુધીમાં નવા પ્રમુખનું નામ જાહેર કરાશે ત્યારબાદ શહેર અને જિલ્લાનું સંગઠન માળખું જાહેર થશે તેમ જાણવા મળે છે. એકંદરે કમુરતા ઉતરતા સુધીમાં શહેર ભાજપ અને જિલ્લા ભાજપની નવી ટીમ કામે લાગી જશે.
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે સવારે ૯–૩૦ કલાકથી મહાનગર ચૂંટણી અધિકારી ડો.માયાબેન કોડનાણીની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરાઇ છે, યારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી આશિષભાઇ દવેની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરાઇ છે. આજે બપોરે ૧–૩૦ વાગ્યા સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ કેટલા દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા તેમના નામ સામે આવશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ બન્ને રિપિટ થાય તેવી શકયતા વચ્ચે હાલ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે ૨૦થી વધુ દાવેદારો મેદાનમાં ઉતર્યા છે, યારે જિલ્લામાં પણ અનેક દાવેદારો સામે આવ્યાનુ જાણવા મળે છે.
પ્રમુખ માટેની દાવેદારી માટેની સાત શરત છે જેમાં (૧) વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ–સક્રિય સદસ્યતા કાર્ડ–સક્રિય નંબર સાથે મહાનગર દ્રારા પ્રમાણિત પત્ર) (૨) મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા–પ્રદેશ સ્તરે જીલ્લા–પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ ફરજીયાત (૩) મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.(૪) પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા–પિતા, ભાઈ, પુત્ર–પત્ની) (૫) જે મહાનગર પ્રમુખ સતત બે ટર્મ મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં. (૬) મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યકિત કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિયની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે) અને (૭) પાર્ટી દ્રારા સસ્પેન્ડ કરાયેલા વ્યકિત પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech