પોલીસમાં ૧૨,૪૭૨ જગ્યાઓની ભરતી માટે શારીરિક પરિક્ષા શરૂ થઈ ગઈ છે જે ૩૧ જાન્યુઆરી સુધી ચાલશે. આ ભરતી માટે અંદાજે ૧૬ લાખ અરજીઓ આવી છે. ગુજરાતમાં અલગ અલગ ૧૫ ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી લેવાશે. ત્યારે આજથી ગોંડલ કોટડા સાંગાણી રોડ પર આવેલ કેમ્પના વિશાળ ગ્રાઉન્ડમાં વહેલી સવારે ૫ વાગ્યે ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા આવી પોહચ્યા હતા અને શારીરિક પરીક્ષામાં દોડ લગાવી હતી. ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડમાં આજથી શ થયેલ શારીરિક પરીક્ષાના પ્રથમ દિવસે વહેલી સવારથી પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ થઈ હતી. શારીરિક પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ પરીક્ષા પાસ થવા માટે ગ્રાઉન્ડમાં રનિંગ ટ્રેક પર ૨૫ મિનિટમાં ૧૨ રાઉન્ડના અંતે ૫૦૦૦ મિટર દોડવાનું રહે છે.
ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા દરમ્યાન ગ્રાઉન્ડ પર તેમજ પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને એન્ટ્રી ગેઈટ પર સુરક્ષા વ્યવસ્થામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પરીક્ષા દરમ્યાન જો કોઈ ઉમેદવારને શારીરિક ઈજા કે ઇમરજન્સી સારવારની જર પડતો ગ્રાઉન્ડની અંદર ઇમરજન્સીમાં મેડિકલ ટીમ, મેડિકલ સ્ટાફ સાથે ૨ એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. કેમ્પ માં પરીક્ષા આપવા આવેલ ઉમેદવાર માટે રહેવાની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને એન્ટ્રી ગેઈટ પર કોલ લેટર તેમજ આઈડી પ્રુફ ચેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારો સાથે લાવેલ સ્વેટર – જેકેટ અને બેગ રાખવા માટે ગ્રાઉન્ડની અંદર અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ઉમેદવારોએ કોઈપણ ઈલેકટ્રોનિક ઘડિયાળ, મોબાઈલ, સ્માર્ટ વોચ સહિત ચીજ વસ્તુઓ બહાર મુકવામાં આવી હતી. ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે પરીક્ષાના પ્રથમ દિવસે શારીરિક પરીક્ષા દરમિયાન એન્ટ્રી ગેટ થી લઈને ગ્રાઉન્ડ સુધી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ઉમેદવાર સિવાય અન્ય કોઈ પણ વ્યકિતને અંદર જવા દેવામાં આવ્યા ન હતા ઉમેદવારો નો તમામ સામાન જેમકે જાકિટ, બેગ, સહિતનો સામાન ના એન્ટ્રી ગેટ ની અંદર એક ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડ ની બહાર શારિરીક કસોટી માટે આવતા ઉમેદવારો માટે અગત્યની સુચનાઓ નું એક સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech