ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસે રાત્રિના સમયે જીજે 03 એચ.આર. 9121 નંબરની મોટરકાર લઈને નીકળેલા અહીંના ચુડેશ્વર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ. 28) ની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, જી.જે. 03 એ.ટી. 4483 નંબરના એક ટ્રકના ચાલકે પાછળથી અકસ્માત સર્જતા મોટરકારમાં નુકસાની થવા પામી હતી.
અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જયદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ટ્રકના ચાલક કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા દેવાત કારૂભાઈ ચેતરીયા (ઉ.વ. 46) સામે ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.
દ્વારકા નજીક કારની ઠોકરે રીક્ષા સવાર મુસાફરો ઇજાગ્રસ્ત
દ્વારકા - પોરબંદર ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ભીમપરા ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 18 બી.આર. 1817 નંબરની કિયા મોટરકારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી, અને આ માર્ગ પર જઈ રહેલી જી.જે. 25 વી. 6255 નંબરની પ્યાગો રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં રીક્ષા પલટી ખાઈ જતા તેમાં જઈ રહેલા પોરબંદર તાલુકાના રાતડી ગામના જેઠાભાઈ ઘેલાભાઈ સિંગરખીયા (ઉ.વ. 61) તેમજ અન્ય મુસાફરોને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જેઠાભાઈ સિંગરખીયા (ઉ.વ. 61) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કિયા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech