કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદની અંદર ’જય શ્રી રામ’ના કથિત નારા લગાવવાના મામલામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બે લોકો સામે પોલીસ દ્વારા નોંધાયેલ ફોજદારી કેસને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા બિલકુલ ખોટું નથી.
આરોપીઓની અપીલ અરજી પર આદેશ પસાર કરતી વખતે, જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની આગેવાની હેઠળની સિંગલ બેંચે કહ્યું કે ’જય શ્રી રામ’ ના નારા લગાવવાથી કોઈ પણ સમુદાયની ધાર્મિક લાગણીઓને કેવી રીતે ઠેસ પહોંચશે તે સમજની બહાર છે. મસ્જિદમાં કથિત રીતે ’જય શ્રી રામ’ના નારા લગાવવા બદલ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 295એ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપી પર ભારતીય દંડ સંહિતાની કલમ 447, 505, 506, 34 અને 295એ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બેન્ચે જણાવ્યું હતું કે અરજદારો સામે આગળની કાર્યવાહીને મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને બેન્ચે કહ્યું દરેક કૃત્ય ભારતીય દંડ સંહિતાની કલમ 295એ હેઠળ ગુનો ગણાશે નહીં.
કણર્ટિક પોલીસે આરોપ લગાવ્યો હતો કે આરોપી વ્યક્તિ 24 સપ્ટેમ્બર, 2023ના રોજ રાત્રે મસ્જિદમાં ઘૂસ્યો હતો અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેના પર ધમકીઓ આપવાનો પણ આરોપ હતો. જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે આરોપીઓને અજાણ્યા વ્યક્તિ તરીકે દશર્વિવામાં આવ્યા હતા અને બાદમાં આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આરોપોને પડકારતા આરોપીઓએ કણર્ટિક હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી અને આ સંબંધમાં તેમની સામેનો કેસ રદ કરવામાં આવ્યો. ખંડપીઠે એમ પણ કહ્યું કે ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે કે આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમો સુમેળથી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech