અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 104% ટેરિફના જવાબમાં ચીને અમેરિકાને ઈંટનો જવાબ પથ્થર આપ્યો છે. ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર 84 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ આવતીકાલથી લાગુ થશે. અગાઉ ચીને અમેરિકન માલ પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો, જેમાં આજે 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ સમયે, અમેરિકાનો ચીન પરનો 104 ટકા ટેરિફ આજથી અમલમાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે હવેથી, અમેરિકામાં આવનાર ચીની માલ બમણાથી વધુ કિંમતે વેચાશે.
નવા ટેરિફ 10 એપ્રિલથી લાગુ થશે
ચીનના નાણા મંત્રાલયે કહ્યું છે કે, આ વધારાના ટેરિફ 10 એપ્રિલથી અમેરિકન માલ પર લાગુ થશે. અગાઉ ચીને અમેરિકન ઉત્પાદનો પર 34 ટકા ટેરિફ લાદવાની વાત કરી હતી, પરંતુ હવે તેને વધારીને 84 ટકા કરવામાં આવી છે.
અમેરિકન કંપનીઓએ પણ પોતાની પકડ મજબૂત કરી
ચીનના વાણિજ્ય મંત્રાલયે પણ 12 અમેરિકન સંસ્થાઓને તેની નિકાસ નિયંત્રણ યાદીમાં મૂકીને અમેરિકાને જવાબ આપ્યો છે. ઉપરાંત, 6 અમેરિકન કંપનીઓને "અવિશ્વસનીય સંસ્થાઓ" ની યાદીમાં સામેલ કરવામાં આવી છે.
અમેરિકાએ ૧૦૪ ટકા ટેરિફ લાદ્યો હતો
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે ચીનની બદલાની કાર્યવાહી એક મોટી ભૂલ હતી. મંગળવારે તેમણે કહ્યું, "જ્યારે પણ કોઈ અમેરિકા પર હુમલો કરે છે, ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વધુ જોરદાર રીતે વળતો પ્રહાર કરે છે. આ જ કારણ છે કે મંગળવારે મધ્યરાત્રિ 12 વાગ્યાથી ચીન પર 104 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. જોકે, જો ચીન વાટાઘાટો કરવા માંગે છે, તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેનું ખૂબ જ ઉદારતાથી સ્વાગત કરશે."
અમેરિકન શેરબજારને પણ અસર થઈ
આ જાહેરાત પછી, યુએસ સ્ટોક ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે ગઈકાલે ચીનથી આયાત થતા માલ પર 104 ટકાનો વધારાનો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે, આ ટેરિફ 9 એપ્રિલ (બુધવાર)થી અમલમાં આવશે.
શું હવે વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનશે?
ચીન અને અમેરિકા વચ્ચેનો આ ટેરિફ યુદ્ધ હવે વધુ ઉગ્ર બન્યો છે. બંને દેશો એકબીજા સામે "ટિટ-ફોર-ટિટ" નીતિ અપનાવી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech