જામનગર નજીક સચાણાથી બાલાચડી ચેનલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ, કમાન્ડો દ્વારા સંયુકત રીતે સધન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું અને અવાવ જગ્યાઓ ખાતે ચેકીંગ કર્યુ હતું.
કોઇપણ આતંકવાદી ઘટના બને ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તેજ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંતબાદનો સમયગાળો હાઇ એલર્ટનો સમય હોઇ અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઇ એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાનનો હોય છે. કારણ કે, આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી.
આ બાબતે ધ્યાને લઈ સચાણા જેટીથી બાલાચડી ચેનલ વિસ્તારમાં સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસમાં મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ડી. આર. યાદવ તથા પો.સ.ઈ. ડી.એચ.જાડેજા અને તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ ૨૩/૧૨/૨૦૨૫ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડો ની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો શંકાસ્પદ બોટ અવવારૂ જગ્યાઓની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application