શનિ-રવિમાં હાલાર ઠીંગરાયું: હજુ ત્રણ દિવસ સુધી ઠંડી પડવાની આગાહી: જનજીવન પર ભારે અસર: ઠેર-ઠેર તાપણા શ: લોકો ગરમ કપડામાં વિંટળાયા
ડીસેમ્બર હવે પુરો થવાની તૈયારી છે ત્યાં શનિ-રવિમાં ઠંડો પવન ફુંકાયો હતો અને હવે તાપમાન દોઢ ડીગ્રી ઘટીને 12.6 ડીગ્રી થઇ ગયું છે, ઠંડીને કારણે ગામડાના જનજીવન પર ભારે અસર થઇ છે, ઠેર-ઠેર તાપણા શ થયા છે, લોકો ગરમ કપડામાં વિંટળાઇ ગયા છે ત્યારે હજુ ત્રણ દિવસ ઠંડીનો માહોલ રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ઠંડીને લીધે રેલ્વે અને ખાનગી બસ તેમજ એસ.ટી. બસમાં મુસાફરોની સંખ્યા પણ ઘટી છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં ઠંડીએ સા એવું જોર પકડયું છે, હજુ આગામી અઠવાડીયા સુધી ભારે ઠંડીનો માહોલ રહેશે અને કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડીગ્રીથી પણ નીચુ પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, એટલે કે આગામી દિવસોમાં લોકોએ શીત લહરનો સામનો કરવો પડશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 12.6 ડીગ્રી, મહત્તમ તાપમાન 25.8 ડીગ્રી, હવામાં ભેજ 51 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. શિયાળામાં આ વખતે ઠંડીનો પ્રથમ વખત ચમકારો જોવા મળ્યો છે અને હજુ આગામી દિવસ ઠંડીમાં ચોકકસપણે વધારો થશે. હવામાન ખાતુ પણ કહે છે કે, ચારથી પાંચ દિવસ સુધી વાતાવરણ ઠંડુ રહેશે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, 20 થી 25 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાજ્ઞવલ્કય વિદ્યા મંદિરમાં ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો
May 03, 2025 12:57 PMસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech