કાલથી સમગ્ર સૌરાષ્ટ્રમાં તાપમાન વધીને 38 ડીગ્રીને પાર કરી દેશે તેવી હવામાન ખાતાની આગાહી: જામનગરમાં બીજા દિવસે પણ ઠંડી પડતા લોકો ફરીથી ગરમ કપડામાં વિંટળાયા
જામનગર શહેર સહિત સમગ્ર હાલારમાં ફરીથી ઠંડી રીર્ટન થઇ છે, ગઇકાલ સાંજ સુધી વાતાવરણ બરોબર હતું, પરંતુ ગઇકાલે મોડી રાત્રે 25 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણમાં એકાએક ઠંડી આવી ગઇ હતી, આજે વ્હેલી સવારે પણ લોકોએ ટાઢોડાનો અહેસાસ કર્યો હતો, ગઇકાલ કરતા લઘુતમ તાપમાનમાં 2 ડીગ્રીનો એકાએક ઘટાડો થઇ ગયો હતો. આગામી તા.7થી ચારેક દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અસહ્ય ગરમી પડશે અને મહત્તમ તાપમાન 38 ડીગ્રીને પાર કરી જશે તેવી હવામાન ખાતાની આગાહીથી લોકોમાં ગભરાટની લાગણી જન્મી છે, હજુ પણ હાલારમાં ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ છે ત્યારે શરદી, ઉધરસ અને તાવના કેસોમાં પણ વધારો થયો છે.
કલેકટરકચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 30.8 ડીગ્રી, લઘુતમ તાપમાન 2 ડીગ્રી ઘટી 14.5 ડીગ્રી, હવામાં ભેજ 47 ટકા, પવનની ગતિ 25 થી 30 કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે આગામી દિવસોમાં ધીરે-ધીરે ગરમી શ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે.
આજે સવારથી એકાએક ઠંડીની શઆત થઇ હતી, લોકોએ મફલર, સ્વેટર ફરીથી પહેયર્િ હતાં, ગઇકાલે મોડી રાતથી જ પવનની ઝડપ 25 કિ.મી. પ્રતિકલાક થવાના કારણે વાતાવરણમાં ટાઢોડુ જોવા મળ્યું છે, જો કે બપોરના ભાગમાં 12 થી 5 દરમ્યાન સારો એવો બફારો શ થઇ ગયો છે. જો કે હોળી પહેલા ઘીરે-ધીરે ઠંડી ઘટતી જાય છે, ચાર દિવસ ગરમીની આગાહી બાદ વાતાવરણ કેવું પલ્ટે છે તેના ઉપર આધાર છે, પરંતુ હાલ તો ઠંડી-ગરમીમાં લોકો જીંદગી પસાર કરી રહ્યા છે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech