તાજેતરમાં ભાવનગર મહાપાલિકાના નિયુક્તિ પામેલા કમિશનર સુજીતકુમારે શહેરમાં ગોકળગાયની ગતિએ ચાલી રહેલા ફલાય ઓવરબ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરી તાગ મેળવ્યો હતો. કમિ. સુજીતકુમારે સ્થળ નિરીક્ષણ કરી ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તેમની સાથે રહેલાસીટી ઈજનેર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી સૂચનાઓ આપી હતી. ફ્લાય ઓવરબ્રિજના કામ ઉપરાંત કમિશનરે કંસારા પ્રોજેક્ટ તેમજ દુ:ખી શ્યામ બાપા સર્કલ થી ટોપ થ્રી સર્કલ સુધી બની રહેલા રોડના કામનું પણ નિરીક્ષણ કરી સંપૂર્ણ જાણકારી મેળવી હતી.કમિશ્નરની સાથે મહાપાલિકાના સીટી ઈજનેર સહિત તમામ વિભાગીય વડા જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ભાવનગરશહેરમાં ફ્લાય ઓવરબ્રિજ તેમજ કંસારા પ્રોજેક્ટ સહિત વિવિધ કામો વર્ષોથી ચાલી રહ્યા છે. ત્યારે નવનિયુક્ત કમિશ્નર આ તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયત્નશીલ રહે તેવું શહેરના લોકો ઈચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech