શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલી રાણી લક્ષ્મીબાઇ સરકારી શાળામાં અભ્યાસ કરતી ધો.10 ની બે બહેનપણી ઘરેથી શાળાનું જવાનું કહી નીકળ્યા બાદ શાળાએ ન પહોંચી લાપતા થઇ જતા આ મામલે બંનેના પિતા દ્વારા માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે.
અપહરણના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ગોંડલ રોડ પાસેના વિસ્તારમાં રહેતા યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. ગઈકાલે સવારના ફરિયાદી શાપર કામ પર ગયા હતા ત્યારે તેમના પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી દીકરીની સ્કૂલેથી ફોન આવ્યો હતો કે તે સ્કૂલે આવી નથી જેથી તમે ઘરે આવો. જેથી ફરિયાદી તુરંત ઘરે ગયા હતા. બાદમાં દીકરીની શાળાએ જઈ પૂછતા પ્રિન્સિપાલે કહ્યું હતું કે, તે સવારથી શાળાએ આવી જ નથી. બાદમાં આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ દીકરીનો ક્યાંય પતો ન લાગતા અંતે આ મામલે પોતાની 15 વર્ષની દીકરી ગુમ થયા અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે મવડી મેઇન રોડ વિસ્તારમાં રહેતા યુવાને માલવિયાનગર પોલીસમાં પોતાની 14 વર્ષની દીકરી ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે ગઈકાલે સવારે આઠેક વાગ્યે ફરિયાદીના પત્ની જાગ્યા હતા અને જણાવ્યું હતું કે આપણી દીકરી પ્રવાસમાં જવાનું કહેતી હતી અને મેં તેને કહ્યું હતું કે, તારા પપ્પાએ પ્રવાસમાં જવાની ના કહી છે તું સ્કૂલે ચાલી જા જેથી તે સ્કૂલ નો ડ્રેસ પહેયર્િ વગર ચાલી ગઈ હોય જેથી શંકા જતા દીકરી જ્યાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલે તપાસ કરતા સ્કૂલ ટીચર તથા પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે તે સવારથી આવી જ નથી જેથી આ બાબતે આસપાસ તપાસ કયર્િ બાદ અંતે પોલીસને જાણ કરી હતી.
બંને સગીરા ગુમ થયા અંગે માલવિયાનગર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને સગીરા રાણી લક્ષ્મીબાઈ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે અને બંને બહેનપણી છે. જેથી બંને સ્કૂલે જવાનું કહી સાથે જ નીકળી ગઈ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે આ બંને સગીરાઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech