રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાએ તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન જેસરનાં છાપરીયાળી સ્થિત સૌની યોજના પંપીગ સ્ટેશન-૩ની મુલાકાત લીધી હતી.મંત્રીએ છાપરીયાળી પંપીગ સ્ટેશન ખાતેથી છોડવામાં આવી રહેલ પાણીની વિતરણ વ્યવસ્થાની જાણકારી મેળવવા ઉપરાંત સૌની યોજના લીંક-૨, પંપીગ સ્ટેશન-૩થી બગડ ડેમ તરફ જતી નિર્માણાધિન કેનાલની હાલ ચાલી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમજ ગુણવત્તાસભર થાય તે માટે ખાસ તાકીદ કરી હતી. માલણ-સમઢીયાળા અંડરગ્રાઉડ પાઈપલાઈન પ્રોજેક્ટ સર્વેની સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યાં હતાં.
મંત્રીએ ભાવનગર જિલ્લામાં ચાલી રહેલી જળ વ્યવસ્થાપન અને વિતરણ પ્રણાલીનો તાગ મેળવી ઉનાળાના સમય દરમિયાન જિલ્લામાં લોકોને પીવાના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યાનો કોઇપણ રીતે સામનો ન કરવો પડે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. મુલાકાત દરમિયાન સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર રાહુલ ઉપાધ્યાય,સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર આશિષભાઈ બાલધિયા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એચ.એન.સરવૈયા, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech