એક સાહ બાદ નવું બજેટ આવવાનું છે. આ બજેટમાં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમના ગ્રાહકોને સરકાર તરફથી ભેટ મળી શકે છે. કેટલાક રિપોટર્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર બજેટમાં એનપીએસ પર ટેકસ બેનિફિટસની જાહેરાત કરી શકે છે, જેથી કરીને તેને વધુ આકર્ષક બનાવી શકાય.
રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર નેશનલ પેન્શન સિસ્ટમને વધુ આકર્ષક બનાવવા માટે બજેટમાં જાહેરાત કરી શકે છે. એનપીએસમાં યોગદાન અને એનપીએસમાંથી ઉપાડ પર લોકોને ટેકસમાં છૂટ આપવા અંગે વિચારણા ચાલી રહી છે. અહેવાલ મુજબ, પેન્શન ફડં રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફડં ઓફિસની સમકક્ષ એમ્પ્લોયરના યોગદાનના કિસ્સામાં કરવેરા બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી બજેટમાં પીએફઆરડીએના આ પ્રસ્તાવને લાગુ કરી શકે છે. પીએફઆરડીએ એનપીએસના ભંડોળનું સંચાલન કરે છે.
એનપીએસમાં નોકરીદાતાઓના યોગદાનમાં અસમાનતા છે. એનપીએસમાં કંપનીઓ દ્રારા મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના ૧૦% સુધીનું યોગદાન કરમુકત છે, યારે ઈપીએફઓના કિસ્સામાં તે ૧૨% છે. પેન્શન ફડં રેગ્યુલેટર પીએફઆરડીએએ તાજેતરમાં સરકારને એનપીએસમાં એમ્પ્લોયરના યોગદાનને ૧૨% સુધી મર્યાદિત કરવાની ભલામણ કરી છે.
ઉલ્લેખનીય છે કે સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શ થઈ રહ્યું છે. ૩૧ જાન્યુઆરીએ આર્થિક સમીક્ષા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણનું આ સતત છઠ્ઠત્પં બજેટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ હશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી વચગાળાનું બજેટ ફેબ્રુઆરીમાં આવશે. ચૂંટણી બાદ બનેલી સરકાર પછીથી સંપૂર્ણ બજેટ લાવશે.
એનપીએસ ને વધુ આકર્ષક બનાવવા માટે જે દરખાસ્તો કરવામાં આવી છે તેમાંની એક એનપીએસના વાર્ષિકી ભાગને ૭૫ વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે કરમુકત બનાવવાનો છે. હાલમાં, એનપીએસમાંથી ૬૦ ટકા એકીકૃત ઉપાડ કરમુકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech