મોરબીના માળિયામાં બોલેરો પિકઅપ પલટી જતા દંપતીનું મોત થયું છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અણિયાળી ટોલનાકા નજીક બની હતી. અચાનક બોલોરોએ પલટી મારતા રોડ પટકાઈ હતી. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી.
બોલેરોમાં 15 લોકો બેઠા હતા
બોલેરો પિકઅપમાં 15 કરતા વધુ લોકો બેઠા હતા અને ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બોલેરોએ પલટી મારી હતી તો એક સાઈડ રોડની વચ્ચે બોલેરોએ પલટી મારી દેતા 12 કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે બોલેરોચાલક સામે ફરિયાદ નોંધી છે, દંપતીને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું છે. પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
મૃતકના જમાઈએ ફરિયાદ નોંધાવી
આ અગે મૃતકનાં જમાઈ બેચરભાઈએ માળીયા પોલીસ મથકે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મૃતદેહનું પીએમ થશે અને ત્યારબાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. પોલીસે અન્ય ઈજાગ્રસ્તોના નિવેદન પણ લીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech