કેસની વિગત મુજબ, શહેરના રૈયા ચોકડી પાસે યોગીનગરમાં રહેતા અરૂણાબેન રજનીકાંતભાઈ ટાંકે રૈયા રોડ સુભાષનગર શેરી નંબર-૪ માં રહેતા મણિલાલ મોહનલાલ પોપટ સામે પ્ર.નગર પોલીસ મથકમાં વાણિજ્ય વેરા કચેરીની રકમ ડુબાડી અને છેતરપિંડી કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વેપારી પાસેથી વાણિજ્ય વેરાની પૂરેપૂરી રકમ લીધા બાદ બેંકમાં ચલણ મારફતે ઓછી રકમ ભરી બાદ વધારાના આંકડાનો ઉમેરો કરી ઉચાપત કર્યાનો ખુલતા પોલીસે મણિલાલ પોપટની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જસીટ રજૂ કર્યું હતું.
આ કેસ ચાલી જતા તમામ હકિકતો જોતા ફરીયાદીપક્ષ પોતાનો કેસ પુરવાર કરી શકેલ ન હોય આરોપી તરફે વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કરેલ હતો.આ કેસમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી દીલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી તથા આસીસ્ટન્ટ તરીકે ઈશા કણઝારીયા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ
May 09, 2025 11:55 AMભાવનગરમાં પાંચ શખસોએ કરી યુવાનની સરાજાહેર કરપીણ હત્યા
May 09, 2025 11:52 AMહળવદ રણકાંઠા વિસ્તારમાં માવઠાનો હાહાકાર કચ્છના નાના રણમાં મોટું નુકસાન: વળતરની માગ
May 09, 2025 11:47 AMઉપલેટામાં મામલતદાર દ્રારા ખનીજચોરો ઉ૫ર સર્જીકલ સ્ટ્રાઇક
May 09, 2025 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech