ભારતીય સેના વિશેના તેમના વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યુ છે. કોર્ટે કેસની વધુ સુનાવણી માટે 24 માર્ચ, 2025 ની તારીખ નક્કી કરી છે.
ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સૈનિકો વિશે આપેલા નિવેદનના સંદર્ભમાં કોર્ટે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આલોક વમર્એિ કેસની આગામી સુનાવણી માટે 24 માર્ચ, 2025 ની તારીખ નક્કી કરી છે.
અગાઉ, એડવોકેટ વિવેક તિવારીએ નિવૃત્ત બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવ વતી રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેમણે કહ્યું હતું કે 16 ડિસેમ્બર, 2022ના રોજ રાહુલ ગાંધીએ ’ભારત જોડો’ યાત્રા દરમિયાન મીડિયાકર્મીઓને સંબોધિત કરતી વખતે 9 ડિસેમ્બર, 2022ના રોજ અરુણાચલ પ્રદેશની સરહદ પર ભારતીય અને ચીની દળો વચ્ચે થયેલી અથડામણનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે દાવો કર્યો કે રાહુલે કહ્યું, ’લોકો ભારત જોડો યાત્રા વિશે ઘણું પૂછશે, પરંતુ ચીની સૈનિકો દ્વારા આપણા સૈનિકોને માર મારવા વિશે એક વાર પણ પૂછશે નહીં.’ 9 ડિસેમ્બરે સરહદ પર ચીન અને ભારતની સેનાઓ વચ્ચે થયેલા વિવાદ પછી, ભારતીય સેનાએ 12 ડિસેમ્બરે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે ચીની સેના ભારતીય સરહદ પર અતિક્રમણ કરી રહી છે, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો અને તેના કારણે ચીની સેના પોતાના ક્ષેત્રમાં પાછી ગઈ.
નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અથડામણમાં બંને પક્ષોને નાની મોટી ઈજાઓ થઈ છે. ફરિયાદ પત્રમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીના ખોટા નિવેદનથી ફરિયાદીને દુ:ખ થયું હતું અને લોકોએ ભારતીય સેના અંગે વાદી વિરુદ્ધ કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. વકીલે કહ્યું કે કોર્ટે આ કેસમાં ગાંધીને સમન્સ પાઠવ્યું છે અને આગામી તારીખ 24 માર્ચ, 2025 નક્કી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech