જાણવા મળતી વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ઓમનગર મેઇન રોડ ગિરનાર સોસાયટી શેરી નંબર 1 માં રહેતા લાભુબેન છગનભાઈ પાણખાણીયા (ઉ.વ 55) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ધરમનગર 40 ફુટ રોડ શાકમાર્કેટમાં ખરીદી કરવા માટે ગયા હતા. દરમિયાન સમડીએ તેમની નજર ચૂકવી ગળામાંથી એક તોલાનો સોનાનો ચેન કિં.રૂ 30,000 આંચકી લીધો હતો. જે અંગે પ્રૌઢાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.
તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં જ થોડા સમય પૂર્વે પ્રોફેસરના માતા વોકિંગ કરવા નીકળ્યા હોય દરમિયાન તેમના ગળામાંથી એક લાખનો ચેન આંચકી લેવામાં આવ્યો હતો આ પૂર્વે પણ આવી ઘટના બની હોય ત્યારે ચીલ ઝડપની સતત બની રહેલી ઘટનાઓને લઈ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ ડામોરની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એમ.કે મોવાલિયા, વી જી ડોડીયા તથા તેમની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે ચીલ ઝડપના બનાવને અંજામ આપનાર બેલડીને ઝડપી લીધી હતી. આ બેલડીની સઘન પૂછપરછ કરતા છેલ્લા થોડા સમય દરમિયાન તેમણે આ પ્રકારે પાંચ ચીલઝડપના બનાવોને અંજામ આપ્યા હોવાની કબુલાત આપી હતી. આ બેલડીએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech