ભારત સુવર્ણકાર સેતુ સંસ્થાના સહયોગથી કાર્યક્રમ યોજાયો
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસૂખ ડેલુ દ્વારા યોજાયેલી જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ માં અપાયેલા માર્ગદર્શનના અનુસંધાસને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ નું આયોજન તારીખ ૧૬/૨/૨૦૨૫ ના રોજ ટાઉનહોલ, જામનગર ખાતે ભારત સુવર્ણકાર સેતુ સંસ્થા ના સહયોગ થી કરવામાં આવ્યું હતું.
આ સેમીનાર મા ૧૫૦ થી વધુ સોની સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સાયબર ક્રાઈમ અવેરનેશ પત્રિકાઓ નું વિતરણ પણ કરવા માં આવ્યું હતું , જેથી લોકો સાયબર સુરક્ષા અંગે વધુ સચેત રહી શકે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલ પેઇજ પર નવી માહિતી શૅર કરીને, લોકોને સતત સાયબર ફ્રોડ ની નવિન ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન પો.ઇન્સ. આઇ.એ.ઘાસુરા તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પો.સ.ઇ. એચ.કે. ઝાલા, પો.કોન્સ. રાજેશભાઇ દુદાભાઇ એ આ કાર્યક્રમના અમલીકરણ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech