લકડીબંદર-સુભાષનગર રોડ પર બિસ્માર પુલથી અકસ્માતનો ભય

  • June 07, 2025 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના લકડીબંદરથી સુભાષનગર તરફ જતા રસ્તે બિસ્માર પુલ ઉપર અકસ્માત સર્જાય રહ્યા છે અને તેમાં રેલીંગ પણ જર્જરિત હોવાથી ગમે ત્યારે વાહન નીચે ખાબકે તેવી શકયતા જણાઇ રહી હોવાથી તંત્ર જાગે તે જ‚રી બન્યુ છે. 


પોરબંદરનો માચ્છીમારી ઉદ્યોગ સરકારને કરોડો ‚પિયાનું હુંડીયામણ કમાવી આપે છે તેમ છતાં સાગરપુત્રોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં સરકાર ગંભીર બની નથી ત્યારે લકડીબંદરથી સુભાષનગર તરફ જતા રસ્તે પુલ અને તેની બંને સાઇડો અત્યંત જોખમી બની ગયા છે અને અકસ્માત થાય તો વાહન સીધુ ખાડીમાં ખાબકે તેવી દહેશત જણાઇ રહી છે અને જાનહાની પણ થાય તેવી શકયતા હોવાથી માચ્છીમાર આગેવાનોએ વધુ એક વખત તંત્રનું ધ્યાન દોરીને રસ્તો નવો બને અને પુલ નવો મંજૂર થાય ત્યાં સુધીમાં કોઇ અકસ્માત ન થાય તે માટે તેનું સમારકામ કરી આપવુ જ‚રી બન્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application