રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ રેલવે તંત્ર સાથે મળીને ડો.દસ્તુરમાર્ગ ઉપર અંડર પાસ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ગત ચુંટણી પૂર્વે ખાતમુહૂર્ત કરાયા બાદ એક વર્ષ સુધી આ પ્રોજેક્ટ આગળ ધપ્યો ન હતો તે દરમિયાનમાં એસ્ટીમેટ વધી જતા રેલવે તંત્રએ વધારાની રકમની માંગણી પણ કરી હતી. દરમિયાન દસ્તુરમાર્ગ અંડરપાસના અધૂરા પ્રોજેક્ટ અંગે આજકાલ દૈનિક દ્વારા લગાતાર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ મહાકાલિકા તંત્ર જાગ્યું હતું અને રેલવેને ચુકવવા પાત્ર વધારાની રકમ ચૂકવી દેતા આ પ્રોજેક્ટનું કામ શરૂ થયું હતું. પશ્ચિમ રેલવે તંત્રએ બંબાટ ઝડપે આ અંડર પાસની કામગીરી શરૂ કરતાં હાલમાં અન્ડરપાસ માટેના બોક્સ મૂકવા સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ચોમાસા પૂર્વે આ અંડર પાસનું લોકાર્પણ થઈ જાય તેવી સંભાવના છે.
વિશેષમાં અંગે રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે દર ચોમાસે એસ્ટ્રોન નાલે ભરાતા વરસાદી પાણી વેળાએ અમીન માર્ગ અને હાઉસિંગ બોર્ડ રોડ વિસ્તારના રહીશોને તેમજ ત્યાંથી પસાર થતા વાહન ચલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે પરંતુ હવે તેઓ દસ્તુર માર્ગ અન્ડર પાસથી નીકળી શકાશે. ન્યુ રાજકોટમાં જવા માટે લક્ષ્મીનગર અંડરપાસ, મહિલા કોલેજ બ્રિજ અને આમ્રપાલી બ્રિજ ઉપરાંત ચોથો વિકલ્પ મળશે. આ સાથે જ યાજ્ઞિક રોડ ટાગોર રોડ અને સરદાર નગર મેઈન રોડની ટ્રાફિક સમસ્યા હળવી થશે. કુલ રૂપિયા 4.18 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech