ગઈકાલે મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર ગઈકાલે રાત્રે ૧૧:૫૬ વાગ્યે (સ્થાનિક સમય) મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર ૪.૨ ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. એનસીએસ અનુસાર, તાજેતરનો ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે આફ્ટરશોક્સની શક્યતા વધી રહી છે. ભૂકંપથી તબાહ થયેલા મ્યાનમારમાં 1002 લોકોના મોત થયા છે જયારે 2376 લોકો ઘાયલ થયા છે. આ ભયાનક ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. હાલ પ્રશાશન દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. લોકોને કાટમાળ હટાવી બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમજ ઘાયલોને હોસ્પીટલે ખસેડવામાં આવી રહ્યા છે. ભારત મ્યાનમારની મદદે પહોંચ્યું છે અને ત્યાં ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે.
ભૂકંપે પાંચ દેશોને હચમચાવી નાખ્યા છે. મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપના આંચકાએ બાંગ્લાદેશ અને ચીનના કેટલાક ભાગોને પણ હચમચાવી નાખ્યા છે. ભારતના મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમાર અને પડોશી દેશ થાઇલેન્ડમાં અનુક્રમે ૭.૭ અને ૭.૨ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ આવ્યા, જેના કારણે ઇમારતો, પુલો અને બૌદ્ધ મઠોનો નાશ થયો. બે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોની છબીઓ અને વિડિયોમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકાને કારણે નિર્માણાધીન એક બહુમાળી ઇમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા.
ભૂકંપથી થયેલા મૃત્યુ, ઇજાઓ અને નુકસાનનું હજુ સુધી સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. વિશ્વનો સૌથી ગરીબ દેશો દેશ જે ગૃહયુદ્ધમાં ફસાયેલો છે, અને લશ્કરી શાસનને કારણે માહિતી પર કડક નિયંત્રણ છે. મ્યાનમારની લશ્કરી સરકારના વડા, સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગે ટેલિવિઝન પર જાહેરાત કરતા કહ્યું, મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. ગઈકાલે બપોરે 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક હતું. આ ભૂકંપ પછી, વધુ આંચકા આવ્યા, જેમાંથી એકની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હતી. મંડલેમાં, ભૂકંપને કારણે શહેરના સૌથી મોટા મઠોમાંના એક સહિત અનેક ઇમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે.
લોહીની અછત સર્જાઈ
મ્યાનમાર સરકારે કહ્યું કે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોહીની ખૂબ જ જરૂર છે. એક એવા દેશમાં જ્યાં અગાઉની સરકારો ક્યારેક વિદેશી સહાય સ્વીકારવામાં ધીમી રહી છે, મિન આંગ હ્લેઇંગે કહ્યું કે મ્યાનમાર સહાય સ્વીકારવા તૈયાર છે.
સંયુક્ત રાષ્ટ્ર મ્યાનમાર માટે રાહત સામગ્રી એકત્ર કરી રહ્યું છે
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મ્યાનમાર માટે રાહત સામગ્રી એકત્ર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે મ્યાનમાર સરકારે આંતરરાષ્ટ્રીય સહાય માંગી છે. ગુટેરેસે જણાવ્યું હતું કે દેશમાં યુએનની ટીમ અસરગ્રસ્તોને મદદ કરવા માટે વિસ્તારમાં સંસાધનો એકત્રિત કરવા માટે સંપર્કમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મ્યાનમારને મદદ કરવાની ખાતરી આપી હતી.
ભારતે 15 ટન રાહત સામગ્રી મોકલી
ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા અંતર્ગત ભૂકંપગ્રસ્ત દેશોને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતીય વાયુસેના સ્ટેશન હિંડોનથી 15 ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રી ભારતીય વાયુસેનાના વિમાન સી 130 જે દ્વારા મ્યાનમાર પહોંચી છે. આમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, પાણી શુદ્ધિકરણ, સ્વચ્છતા કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓ (પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, કેન્યુલા, સિરીંજ, મોજા, કોટનની પટ્ટીઓ, પેશાબની થેલીઓ, મેડીકલ સાધનો વગેરેનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech