રાજપરા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરી ફેલાવેલો આતંક

  • June 05, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોરના રાજપરા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરીને વાડી ખેતર વિસ્તારમાં દિપડાએ ધામા નાખ્યા હોવાનું સામે આવ્યું છે.  દીપડાના આતંકને લઈને ખેડુતોમાં ભારે ભચનો માહોલ જોવા મળ્યો છે અને આ દીપડાને પાંજરે પુરવાની પ્રબળ માંગ ઉઠી છે. સિહોર શહેર અને પંથકમાં અગાઉ દીપડાના પરિવારે ધામા નાખી આતંક મચાવતા ખેડૂતો, માલધારીઓમાં ફફડાટ ફેલાયો હતો. દરમ્યાન  રાજપરા ગામે ફરીથી દીપડાએ એક વાડીમાં ઘૂસી પશુનું મારણ કરતા ખેડૂત અને માલધારીઓમાં ભય ફેલાયો છે.
સિહોરમાં અગાઉ આતંક મચાવ્યા બાદ વનવિભાગના પાંજરે પુરાયા બાદ દીપડાએ પુન: દેખા દીધા છે. જેના પગલે ખેડૂતો, માલધારીઓ તેમજ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. અને ફરીથી આવી ચડેલો દીપડો વધુ આતંક ફેલાવે તે પૂર્વે વનવિભાગ દ્વારા સત્વરે પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.ગત રાત્રીના કોઇપણ સમયે રાજપરા ગામે અશોકભાઈ ઢીલા નામના ખેડૂતની વાડીમાં ઘૂસેલા દીપડાએ પશુ પર હુમલો કરી મારણ કરતા સ્થાનિક વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂતો તેમજ માલધારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application