જાહેર માર્ગો ઉપરના ધાર્મિક દબાણો દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ અન્વયે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને બાંધકામ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત ગઈકાલે રાત્રે બે વાગ્યે મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક વિસ્તારમાંથી બાપા સીતારામ ની મઢૂલી અને કાલાવડ રોડ ને લાગુ ભીમ નગર વિસ્તારમાંથી માતાજીની ડેરીનું ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને બાંધકામ બ્રાન્ચ ની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે બે વાગ્યે મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોકમાંથી બાપા સીતારામનું મંદિર તેમજ કાલાવડ રોડને લાગુ ભીમ નગર વિસ્તારમાં આવેલી માતાજીની ડેરી સહિતના બે ધાર્મિક દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઈને જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી, મ્યુનિ.વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતુ કે મંદિર જાહેર માર્ગની વચ્ચે આવતું હોય દૂર કરવામાં આવ્યું હતું તેમજ મવડીના બાપા સીતારામ ચોક વિસ્તારમાં ટ્રાફિક સર્કલ ટુંકાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તે અંતર્ગત મંદિર દૂર કરવામાં આવ્યું હતું.
વિશેષમાં જાણવા મળતી માહિતી અનુસાર મંદિરનું ડિમોલિશન થનાર હોવાનો અંદાજ આવી જતા પૂજારી તેમજ અમુક ભક્તગણ ડિમોલિશન પૂર્વેજ મંદિરમાંથી મૂર્તિ લઈ ગયા હોવાની પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જાહેર માર્ગો ઉપરના ધાર્મિક દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMદેવભૂમિ દ્વારકા..જિલ્લામાં ત્રણ વર્ષમાં રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
June 18, 2025 06:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech