પોરબંદરના ચોમાસા દરમિયાન અકસ્માત સર્જાય નહી તે માટે ખારવાવાડ વિસ્તારમાં એક જર્જરીત મકાન તોડી પાડવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં લોકોની સલામતી માટે જર્જરિત બનેલ મકાનોનો કાટમાળ જે.સી.બી.ની મદદથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરાય છે.કુદરતી આફતો અને આકસ્મિક સંજોગોમાં જોખમી જણાતા અને જર્જરીત મકાનો ધરાશાય થવાની સંભાવનાઓ રહેતી હોય છે, કુદરતી આફતોમાં જર્જરીત બનેલ જોખમી મકાનો ધરાશાય થાય તો જાનહાની થવાના બનાવોની પણ સંભાવના રહે છે,ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરમાં ખારવાવાડ વિસ્તારમાં જર્જરીત બનેલ મકાન જે.સી.બી. મશીનરીની મદદથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને આ વિસ્તારમાં લોકોની સુરક્ષા જળવાઈ રહે તેવા પ્રયાસો કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech