મધ્યપ્રદેશના ધાર ઔદ્યોગિક વિસ્તાર પીથમપુરના સેક્ટર 2 પોલીસ સ્ટેશનની પાઇપ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે તેની જ્વાળાઓ અને ધુમાડા 10 કિલોમીટર દૂરથી દેખાતા હતા. ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારના સેક્ટર 2માં પાઇપ ફેક્ટરીમાં મોટા પાયે આગજનીની આ ઘટના બની હતી.
ધાર પાઇપ ફેક્ટરીના વેરહાઉસમાં લાગી હતી આગ
ધારમાં સિગ્નેટ પાઇપ ફેક્ટરીમાં 11 જાન્યુઆરીએ ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ 10 ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.
પીથમપુર સેક્ટર-3 ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત ફેક્ટરીના વેરહાઉસમાં આગ લાગી હતી. આગ ઓલવવા માટે પીથમપુર, ઈન્દોર, ધાર અને બદનાવરથી પણ ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા છે.
આગની જે તસવીર સામે આવી છે તેમાં દૂરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા હતા. હાલમાં કેટલું નુકસાન થયું છે કે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની માહિતી હજુ ઉપલબ્ધ નથી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેનું કારણ જાણી શકાશે અને જવાબદારોની પૂછપરછ કરવામાં આવશે.
જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 20 થી વધુ પાણીના ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ આગ પર કાબૂ મેળવવામાં સમય લાગી શકે છે.
વેરહાઉસમાં પાઈપનો મોટો જથ્થો
ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓએ માહિતી આપી છે કે મંગળવારે સવારે 7.00 વાગ્યાની આસપાસ વેરહાઉસમાં આગ લાગી હતી અને તેમને સવારે 7.00 વાગ્યાની આસપાસ તેની માહિતી મળી હતી. આ ફેક્ટરીમાં પાઇપ બનાવવામાં આવે છે. વેરહાઉસમાં મોટી સંખ્યામાં પાઇપો પણ રાખવામાં આવી હતી. ત્રણેય પોલીસ સ્ટેશનના દળો સ્થળ પર હાજર છે. ફેક્ટરીમાં આગ ઓલવવા માટે કોઈ સાધન ન હતું. જેના કારણે આગ સતત વધી રહી હતી.
આકરી ગરમીના કારણે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાંથી આગ લાગવાના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં દિલ્હીમાં આગના આવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળ્યા છે. જેમાં જાનહાનિ થઈ છે. મોટા ભાગના સ્થળોએ શોર્ટ સર્કિટ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઓવરહિટીંગને કારણે આગ લાગે છે. ત્યારે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech