જામનગરમાં તા. ૨૦/૧૨/૨૦૨૪, રવિવારના રોજ કેન્સર કેર કાઉન્સિલ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કેન્સર પીડિત પરિવારોને રાશન કિટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં દાતા કિર્તીભાઇ દોઢીયા તરફથી ૨૫, પૂર્વ ડેપ્યુટી મામલતદાર બિનાબેન શનિચરા તરફથી ૫ અને આનંદ પરમાર તરફથી ૫ કિટ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં અતિથિ તરીકે શાહ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન પ્રમુખ વેલજીભાઈ શાહ, ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તીભાઈ દોઢીયા, ઉદ્યોગપતિ ઓતુભાઈ હરનિયા , કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા, પૂર્વ ડેપ્યુટી મામલતદાર બિનાબેન શનિચરા, સામાજિક કાર્યકર અને પત્રકાર દિપાબેન સોની, ડો. વંદનાબેન તન્ના, પ્રોજેક્ટ ચેરમેન મનુભાઈ ભાનુશાળી, દિલિપભાઈ ધૃવ, રોહીતભાઈ ભાનુશાળી, ઉપસ્થિત રહ્યા હતા, અને દિપ પ્રાગટય કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન વેલજીભાઈ શાહ દ્રારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સફળ બનાવવા કાજલબેન નાખવા, મનીષાબેન ચૌહાણ, જાગૃતિબેન જોઈસર, જયેશભાઇ ખીમસૂરયા, જયેશભાઇ ગોપીયાણી, કલ્પનાબેન ઠાકર જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિઠ્ઠલભાઈ ધોળકીયા દ્રારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech