રશિયન ગુપ્તચર એજન્સી કેજીબીના ભૂતપૂર્વ અધિકારીએ દાવો કર્યો છે કે 1987માં સોવિયેત સંઘ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને જાસૂસ બનાવવામાં આવ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગેનો આ દાવો ફિલ્મી વાર્તા જેવો લાગે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાની એક ફેસબુક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. ફેસબુક પોસ્ટમાં જે ભૂતપૂર્વ રશિયન અધિકારીનો ઉલ્લેખ છે તેનું નામ અલનુર મુસાયેવ છે. મુસાયેવ કહે છે કે કેજીબી, જે સોવિયેત યુનિયનની ગુપ્તચર એજન્સી હતી, તેણે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના અધિકારી તરીકે લીધા હતા અને તેમને ક્રાસ્નોવ નામ આપ્યું હતું.
ફેસબુક પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટ મુજબ, જ્યારે 40 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પે 1980માં સોવિયેત યુનિયનની મુલાકાત લીધી હતી, ત્યારે કેજીબી દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી એલાનુર મુસાયેવે જણાવ્યું હતું કે તેઓ મોસ્કોમાં કેજીબી ના છઠ્ઠા વિભાગમાં કામ કરતા હતા. તેમનું કામ મૂડીવાદી દેશોના ઉદ્યોગપતિઓને જાસૂસી માટે તૈયાર કરવાનું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમના વિભાગે એક અમેરિકન પ્રોપર્ટી ડીલરને પોતાના પક્ષમાં લાવવામાં સફળતા મેળવી છે.
2017માં, ભૂતપૂર્વ બ્રિટિશ ગુપ્તચર અધિકારી ક્રિસ્ટોફર સ્ટીલે પણ તેમના એક અહેવાલમાં ખુલાસો કર્યો હતો કે રશિયા પાસે ડોનાલ્ડ ટ્રમ્પને બ્લેકમેલ કરવા માટે કેટલાક પુરાવા છે. સ્ટીલના અહેવાલમાં એક વીડિયો હતો જેમાં ટ્રમ્પ મોસ્કોની એક હોટલમાં જોવા મળ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ વિશે દાવા કરનારા અલનુર મુસાયેવ પહેલા વ્યક્તિ નથી. 2021 માં, અન્ય એક ભૂતપૂર્વ કેજીબી અધિકારી, યુરી શ્વેટ્સે આ જ દાવો કર્યો હતો. તેમણે અમેરિકન ક્રોમપ્રોમેટ નામના પુસ્તકમાં લખ્યું હતું કે 1980માં સોવિયેત સંઘે ટ્રમ્પને પોતાના જાસૂસ બનાવ્યા હતા.
ટ્રમ્પે તમામ દાવાઓને ફગાવી દીધા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ કેજીબી ગુપ્તચર અધિકારી એલાનુર મુસાયેવ દ્વારા ફેસબુક પર કરવામાં આવેલા દાવાઓને ફગાવી દીધા છે. તેમણે સોવિયેત યુનિયન કે કેજીબી સાથે કોઈપણ પ્રકારના સંબંધો હોવાનો ઇનકાર કર્યો છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના રશિયા સાથેના સંબંધો અંગે પ્રશ્નો ઉભા થયા હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech