DRI બેંગલુરુના અધિકારીએ દાવો કર્યો છે કે આ ધરપકડ સાથે, સૂકા દરિયાઈ ઘોડાઓના ગેરકાયદે વેપારમાં સામેલ મોટા દાણચોરી નેટવર્કને તોડી પાડવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે બાતમીના આધારે ડીઆરઆઈ બેંગલુરુના અધિકારીઓએ 3 ઓગસ્ટે કેમ્પેગૌડા એરપોર્ટના ટર્મિનલ-1 પર આ ગેંગ સાથે સંકળાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા ત્રણેય લોકો તમિલનાડુના
ત્રણેય પ્રાઈવેટ એરલાઈનની ફ્લાઈટમાં મુંબઈ થઈને સિંગાપોર જઈ રહ્યા હતા. ત્યારે તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી જેમાં 6626 દરિયાઈ ઘોડા (સૂકા) મળી આવ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે તાજેતરના સમયમાં સૂકા દરિયાઈ ઘોડાઓની આ સૌથી મોટી જપ્તી છે. હાલ ત્રણેય મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે આ તમામ તમિલનાડુના રહેવાસી છે અને તેમની ઉંમર 30ની આસપાસ છે.
સૂકા ઘોડાની માંગ વધી
ભારતમાં તમામ દરિયાઈ ઘોડાની પ્રજાતિઓ વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972ના અનુસૂચિ I હેઠળ વર્ગીકૃત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, તેનું વેચાણ, ખરીદી અને કોઈપણ પ્રકારનો ઉપયોગ ગેરકાયદેસર અને સજાપાત્ર છે. આ ઉપરાંત નિકાસ નીતિ હેઠળ, જંગલી પ્રાણીઓ અને દરિયાઈ પ્રજાતિઓ, તેમના અંગો અને ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ છે.
ડીઆરઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ એશિયાના બજારોમાં સૂકા દરિયાઈ ઘોડાની માંગ મુખ્યત્વે પરંપરાગત દવા, સ્વાદિષ્ટ અને માછલીઘરની સજાવટ માટે છે. આ ઉપરાંત પરંપરાગત ચાઈનીઝ દવામાં પણ દરિયાઈ ઘોડાનો ઉપયોગ થાય છે. આ સિવાય કેટલીક વાનગીઓમાં પણ સૂકા ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech