ભાજપ અગ્રણી સરદારધામના સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ, ઉધોગપતિ જયંતીભાઈ કરશનભાઈ સરધારા પર પાર્ટી પ્લોટના પાકગમાં પીઆઈ સંજય પાદરીયા દ્રારા કરાયેલા હત્પમલાનો મુળ અંદર ચાલેલા જમણવાર દરમિયાન ઉદભવ્યું હતું. આ બન્ને પ્રસંગમાં હાજર હતા ત્યારે અંદર જ શાબ્દીક ટપાટપી તું તું મેં મેં થઈ અને લાતથી બાત થતાં સંજય પાદરીયા સમસમી ઉઠયા હતા. જાણે સરધારાની બહાર રાહ જોઈને ઉભા હોય તે રીતે સરધારા આવતાની સાથે જ હત્પમલો કરાયો હતો.
બન્ને વર્તુળો સાથે સંકળાયેલા અને પ્રસંગમાં હાજર પાર્ટી પ્લોટની અંદર જમણવારમાં થયેલી તું તું મેં મેં આ દ્રશ્યો નિહાળનારાઓ પૈકીનાઓના જ આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ લ પ્રસંગમાં સરધારા અને પાદરીયા બન્ને આવ્યા હતા. બન્ને સાથે ભોજન લઈ રહ્યા હતા. ચર્ચા ચાલી રહી હતી. થોડી ચર્ચા બાદ બન્ને વચ્ચે શાબ્દીક ઉગ્રતા દેખાવા લાગી હતી. વાત–વાતમાં લાત ઉલળી હતી. બન્ને વચ્ચે મારામારી જેવી સ્થિતિ ઉદભવી હતી. જેને લઈને ત્યાં હાજર લોકોએ બન્નેને શાંત પાડયા હતા. કહેવાય છે કે, ત્યારે જ પાદરીયા સમસમીને બહાર નીકળી ગયા હતા.
અંદર થયેલી માથાકુટ કે, અપમાનનો બદલો લેવા પાદરીયા સરધારાની રાહમાં હોય તે રીતે સરધારા લ પ્રસગં પતાવીને જતા હતા ત્યારે કાર પાસે જ પીઆઈ પાદરીયા ઉભા રહી ગયા હતા અને ત્યાર બાદ પીઆઈ દ્રારા સરધારા પર હત્પમલો કરવામાં આવ્યો હતો. જાણકારોેએ એવો પણ સૂર વ્યકત કયર્ો છે કે, લ પ્રસંગમાં આવી રીતે સામાજીક સંસ્થાઓ કે, કાર્યેાની અથવા તો ચાલતી આંતરીક હત્પંસાતુંસીની ચર્ચા કરીને જે રીતે મારપીટ થઈ તે ખરેખર ખેદજનક કહેવાય. બન્ને સમાજના આગેવાનો છે. કયા પ્રસંગમાં હતા તે જોવું જોઈએ. બનાવ સ્થળેથી પોલીસે શર્ટના તુટેલા બટન કબજે કર્યા છે
સપ્તાહ પૂર્વે સરધારા સરદાર પટેલ ભવનમાં પણ ગયા હતા ?
ખોડલધામ સાથે જોડાયેલા અને સારૂ એવું દાન સાથે સામાજીક કામ કરનાર જયંતી સરધારા નવું સરદાર ધામ ઉભું થતાં તે તરફ વળી ગયા હતા. આ સરદારધામના સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખનો હોદ્દો પણ લીધો છે. પાટીદાર સમાજના નિષ્પક્ષ અગ્રણીના કહેવા મુજબ જયંતી સરધારા એક સાહ પહેલા માયાણીનગરમાં આવેલા સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન ખાતે ખોડલધામની ઓફિસે ગયા હતા. ત્યાંથી નીકળ્યા બાદ બીજા દિવસથી સરધારાએ પોતાના હોદ્દાના હોડિગ લગાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech