ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ યાત્રાધામ દ્વારકાના વિશ્વ વિખ્યાત જગત મંદિર ઉપર દરરોજ છ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવે છે. જે તમામ ધ્વજાજી નું બુકિંગ લગભગ 2035 સુધી થઈ ચુકયુ છે. દરરોજ આરોહણ કરવામાં આવતી છ ધ્વજાજી પૈકી બે ધજાજી તાત્કાલ ડ્રો કરી અને ભક્તોને ફાળવવામાં આવે છે. જેમાં વહેલી સવારે ચડાવવામાં આવતી મંગલધ્વજ તેમજ સાંજે ચડાવવામાં આવતી ઉત્થાપન ધ્વજ નું દર મહિને ભક્તોની હાજરીમાં ડ્રો કરવામાં આવે છે.
આ ડ્રો અંતર્ગત જે ભક્તોએ ધજાજી માટે બુકિંગ કરાવેલ હોય તે ભક્તોની હાજરીમાં ડ્રો સિસ્ટમથી તેનું નામ નક્કી કરવામાં આવે છે અને ભાગ્યશાળી ભક્ત જેણે ધજાજી બુકિંગ માટે નામ નોંધાવેલ હોય તેને આ અવસર પ્રાપ્ત થાય છે. દ્વારકાધીશ જગત મંદિર પર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટેનો જાન્યુઆરી માસ 2025 નો જાહેરમાં કરવામાં આવતો ડ્રો ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ગત 20 ડિસેમ્બર ના રોજ બ્રહ્મપુરીમાં ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ મંત્રી કપિલભાઈ વાયડા, દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ સદસ્ય રમેશભાઈ હેરમાં, ધ્વજાજીના યજમાનો, વૈષ્ણવો, ભક્તો, તીર્થ પુરોહિતો, કારોબારી સદસ્યો, મધ્યસ્થ સભા સદસ્યો, સલાહકાર સમિતિ સદસ્યો, સામાજિક કાર્યકરો વગેરેની ઉપસ્થિતિમાં પારદર્શકતા પૂર્વક ડ્રો સંપન્ન કરવામાં આવ્યો હતો. અગાઉ ડ્રો માટે ફોર્મનું વિતરણ 15 તથા 16 ડીસે.ના રોજ કરવામાં આવ્યું હતું. તેમજ 17 અને 18 ડિસેમ્બરના રોજ ફોર્મ જમા કરાવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech