મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરતી વખતે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં જણાવવું પડશે. સુપ્રીમ કોર્ટે ગતરોજ કેન્દ્ર સરકાર દ્વારા પંકજ બંસલ કેસ મામલે આ વ્યવસ્થા સંબંધિત આદેશની સમીક્ષા કરવા માટે દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચે અરજી ફગાવી દીધી અને કહ્યું કે નિર્ણયમાં એવી કોઈ ભૂલ નથી કે જેના પર પુનર્વિચારની જરૂર હોય. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ઓક્ટોબરમાં મૂળ ચુકાદો સંભળાવતા રિયલ એસ્ટેટ ગ્રૂપ્ના પંકજ બંસલ અને બસંત બંસલની ધરપકડને રદ્દ કરી હતી.
બેન્ચે 20 માર્ચે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, અમે સમીક્ષા અરજીઓ અને સંબંધિત દસ્તાવેજો પર ગંભીરતાથી વિચાર કર્યો છે. અમને એવી કોઈ ભૂલ મળી નથી કે જેને અસ્પષ્ટતા તરીકે સમજાવી શકાય. કોર્ટના આદેશ પર પુનર્વિચાર કરવાની જરૂર નથી, તેથી સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવે છે. બેન્ચે રિવ્યુ પિટિશનની સુનાવણી ઓપ્ન કોર્ટમાં કરવાની વિનંતીને પણ ફગાવી દીધી હતી. કેન્દ્રની અપીલને ફગાવી દેતાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઇડીના અધિકારીઓએ તેમની ફરજો પૂરી ઈમાનદારીથી નિભાવવી જોઈએ.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના 3 ઓક્ટોબરના આદેશની સમીક્ષા કરવાની વિનંતી કરી હતી. જેમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ સાથે ધરપકડનો મેમો પણ રદ કરવામાં આવ્યો હતો. કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ગુરુગ્રામ સ્થિત રિયલ્ટી ગ્રૂપ એમ3એમના ડિરેક્ટર બસંત બંસલ અને પંકજ બંસલને મુક્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પણ ઇડીને સખત ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે સંપૂર્ણ પ્રમાણિકતા અને નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ. દેશમાં મની લોન્ડરિંગના આર્થિક ગુનાને રોકવાની મુશ્કેલ જવાબદારી સાથે તપાસ એજન્સી હોવાને કારણે, ઇડીની દરેક કાર્યવાહી ’પારદર્શિતા’ અને નિષ્પક્ષતાના ધોરણો અનુસાર હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં કહ્યું હતું કે 2002ના (પીએમએલએ) કાયદાની કલમ 50 હેઠળ જારી કરાયેલા સમન્સના જવાબમાં સાક્ષીનો અસહયોગ કલમ 19 હેઠળ તેની ધરપકડ કરવા માટે પૂરતો નથી. અમારું માનવું છે કે હવેથી જે-તે વ્યક્તિને ધરપકડ અંગે જાણ કરવામાં આવે તે જરૂરી છે ઉપરાંત ધરપકડના કારણોની એક લેખિત નકલ આપવી પણ ફરજીયાત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech