ખાધ તેલની આયાતમાં ઘટાડો કરવો જોઈએ અને ઈમ્પોર્ટ ડુટીમાં વધારો કરવો જોઈએ. જો તેમ કરીશું તો જ સ્થાનિક કક્ષાએ ખેડૂતોને મગફળી સહિતના તેલીબિયાના ભાવ મળી રહેશે તેવી કેન્દ્ર સરકાર સમક્ષની સતત રજૂઆત છતા સરકાર ખાધ તેલની આયાત સતત વધારી રહી છે. સરકારે ૧૮.૪૭ લાખ મેટિ્રક ટન ખાધતેલ ની આયાત કરી છે. જે અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ છે.
આયાતમાં વધારા અને મંદીના માહોલને કારણે સિંગતેલ પામોલીન તેલ સહિતના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર્રના પગલે પગલે મુંબઈના બજારમાં પણ સિગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
હજુ તો ગઈકાલે ગુજરાત રાય તેલ તેલીબિયા સંગઠને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ સંદર્ભે પત્ર પાઠવીને તેલની આયાત ઘટાડવા અને ડુટી વધારવા સહિતની માગણીમાં કરી જણાવ્યું હતું કે દેશની કુલ જરીયાત ના ૬૫% ખાધતેલ આયાત કરવું પડે છે. જુલાઇ માસમાં જે રીતે સૌથી વધુ આયાત કરવામાં આવી છે તે ચાલુ રહેશે તો આપણે પ્રતિવર્ષ ૨૦૦ લાખ મેટિ્રક ત્રણ જેટલું ખાધતેલ આયાત કરતા હઈશુ.
સંગઠનના પ્રમુખ સમીરભાઈ શાહે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ મોસમમાં મગફળી અને સોયાબીન જેવા તેલીબિયાનુ વાવેતર વધારે થયું છે. આ ઉપરાંત મસ્ટર્ડ એટલે કે રાયડો, સોયાબીન સીડનો મોટો જથ્થો સરપ્લસ છે. તેવા સંજોગોમાં સ્થાનિક કક્ષાએ વધુ ભાવ મળે તે માટે આયાતમાં કાપ મૂકી શકાય છે.
સરકારે જુદા જુદા તેલીબિયાના પાકોના ટેકાના ભાવમાં સારો એવો વધારો કર્યેા છે. પરંતુ ખરીદી મર્યાદિત કરાતી હોવાથી મોટાભાગનો માલ ખુલ્લા બજારમાં ચાલ્યો જાય છે અને ત્યાં ખેડૂતોને ઓછા ભાવ મળે છે. આ પરિસ્થિતિ દૂર કરવા માટે સરકારે ભાવાંતર યોજના સમગ્ર દેશમાં લાગુ કરવા માટે પણ માગણી ઉઠી છે. ટેકાના ભાવે સરકાર ખરીદી કરે પછી યારે તે માલ બજારમાં મૂકે ત્યારે પણ ભાવ નીચા જતા હોય છે. તેના બદલે જો ભાંવાતરની યોજના અમલમાં આવે તો ખેડૂતોને ટેકાના ભાવમાં ઘણો ફાયદો થાય તેમ છે.
સંગઠનોની આવી રજૂઆત પછી પણ સરકારે આયાત વધારી છે અને વૈશ્વિક મંદીના માહોલોનો લાભ લઈને આયાત વધારતા સ્થાનિક કક્ષાએ સિંગતેલ પામોલીન તેલ સહિતના ખાધતલોના ભાવમાં ઘટાડો થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech