બાબરા સુપ્રસિધ્ધ મેલડી માતા મંદિર ગૌ-શાળામાંથી આઠ અબોલજીવ બકરાંની ચોરી

  • November 27, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાબરા તાલુકાની શિરમોર ધાર્મિક જગ્યાની ગૌ શાળા માંથી બીજી વખત આઠ અબોલ જીવ બકરાની ચોરી થવા સબંધે મંદિરના સેવક દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવતા તપાસના ચક્રો ગતિમાન થયા છે મળતી વિગત મુજબ બાબરાથી નીલવડા જવાના રસ્તા ઉપર જુના તળાવ પાસે આવેલ મેલડી માતાજીના સાનિધ્ય માં છેલ્લ ા કેટલાક સમયથી ગૌશાળામાં માતાજીની સવારી રૂપે ધાર્મિક શ્રધ્ધાથી રાખવામાં આવતા અબોલ જીવો આઠ બકરાની કોઈ નરાધમ દ્વારા ચોરી કરવા સબબ પોલીસ માં માતાજીના સેવક રાજુભાઈ જેઠવા દ્વારા ફરિયાદ આપવા માં આવેલ છે 
​​​​​​​
તેમના જણાવ્યા મુજબ  અજાણ્યો ચોર ઇસમો દ્વારા  બાબરા નીલવડા રોડ મેલડી માતાજી મંદિરે આવેલ ગૌશાળા પાસેના લોખંડના પતરાવાળા શેડમાં બાંધેલ બકરા જીવ નંગ ૦૮ કીમત રૂપિયા .રૂ.૨૪,૦૦૦/- ની શેડની દિવાલ તોડી બકરાની ચોરી કરી વાહન મારફતે ચોરી કરી જવા માં આવી છે 
માતાજી ના મંદિરમાં શ્ર્ધાળું દ્વારા અબોલ જીવો માતાજી ની સવારી રૂપે માનતા થી મુકી જવામાં આવે છે અને આ જીવો નું મંદિર સેવકો દ્વારા ગૌ શાળામાં રાખી લાલન પાલન કરવામાં આવે છે અને તસ્કર દ્વારા આઠ જેટલા જીવો ની ચોરી થવાના સમાચારોથી નારાજગી ફેલાવા પામી છે અત્રે યાદ રહે કે અગાઉં ડીસેમ્બર ૨૦૨૨ માં આ જગ્યા માંથી આવીજ રીતે ૮ અબોલ જીવ બકરા અને એક નજીકની વાડીમાંથી એમ કુલ નવ જીવો બકરાની ચોરી અંગે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાય હતી આજ સુધી તસ્કર હાથ લાગ્યા નથી ત્યાં ફરીવાર ચોરીનો બનાવ બનતા મંદિરના સેવક અને શ્રધ્ધાળુંમાં નારાજગી સાથે તસ્કર નહી પકડતા પોલીસ કામગીરી સામે રોષ વ્યક્ત થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application