પોલીસ દ્વારા ગુન્હો આચરતા પહેલા સો વખત વિચાર કરે તે માટે કડક કાર્યવાહી કરી રહી છે.છતાંય તળાજા શહેર કે પંથકમાં બનતી લાગલગાટ કાઈ મ ની ઘટનાઓ જોતા પોલીસ ની કડક કાર્યવાહી ની અસર અહીં જોવા મળતી નથી. તળાજા ના મેથળા ગામે સરતાનપર ના યુવક પર હુમલો, બાબરીયાત ના યુવાનના પ્રેમ સબંધે હુમલો અને માથાવડા ગામે સામસામી મારામારી ના બનાવ મા ચાર વ્યક્તિ ને ઇજાઓ થઈ હતી.
તળાજા રેફરલ હોસ્પિટલમાં મારામારી ના કારણે ઈજા સાથે રાજુભાઈ ગોરધનભાઈ મકવાણા (ઉં. વ.૨૪)ને લાવવામાં આવ્યા હતા. સામા પક્ષે સંજય પીઠાભાઈ ડાભી ને માથાના ભાગે ઈજાઓ થઈ હતી.બંને ને ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. સંજય ડાભીએ ત્રણ ઈસમો રાજુ ગોરધનભાઈ મકવાણા. રે.માખણીયા,સુરેશ ગોરધન મકવાણા (રે. મથાવડા), કરમશી જબરભાઈ મકવાણા વિરુદ્ધ અનુ.જાતિ ને લઈ અપશબ્દો કહી,હુમલો કર્યા ની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બાબરીયાત ગામના વમરાજ ભીખુભાઈ ચાવડા ઉ. વ.૩૩ એ પ્રેમ લગ્ન કરેલ હોવાના મામલે સતીષ, સંજય સહિતના વ્યક્તિ ઓએ માર માર્યો હતો. બાદ સરતાનપરના નારણ નટુભાઈ મકવાણા મેથળા ગામે સામાન ઉતારવા ગયા હતા.ત્યારે સાળા વિશાલ સહિત તેમના પરિવાર એ હુમલો કરી ગરદન નીચે પીઠ ના ભાગે છરી ના બે ઘા મારેલ હતા. જેમાં એક થા ધોરી નસ પર વાગતા ડો.સાકીયા એ નસ કપાઈ ગઈ હોવાથી રીફર કર્યા હતા.
સામા પક્ષે મેથળા ગામના ઘનશ્યામ વેલાભાઈ બાંભણીયા, કંચનબેન ઘનશ્યામભાઈ, આશાબેન ઘનશ્યામભાઈ, વિશાલ ઘનશ્યામભાઈને ઈજાઓ થતા ચારેય ને સાંજ ઢળ્યા બાદ તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech