જામનગરમાં ગળાફાંસો ખાઇ વૃઘ્ધે જીવાદોરી ટુંકાવી

  • May 17, 2025 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દિ.પ્લોટ-૪૯ શંકરટેકરી વિસ્તારમાં એક વૃઘ્ધે ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા પોલીસ દ્વારા કારણ જાણવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે.


જામનગરના દિ.પ્લોટ ૪૯, શંકરટેકરી રામ સાયકલની બાજુમાં રહેતા પ્રેમજીભાઇ જીવાભાઇ વાઘેલા (ઉ.વ.૫૫) નામના વૃઘ્ધે તા. ૧૫ના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.


આ અંગે દિ.પ્લોટ ૪૯માં રહેતા દિનેશ બાબુભાઇ વાઘેલાએ સીટી-એ ડીવીઝનમાં જાણ કરી હતી જેના આધારે પોલીસ દ્વારા કયા કારણસર વૃઘ્ધે પગલુ ભર્યુ એ દિશામાં તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application