જામનગર શહેરના તારમામદ સોસાયટીમાં ગઇકાલે ધોળા દિવસે આયુર્વેદીક દવા આપવાના બહાને એક બંગલામાં ઘુસેલા શખ્સોએ વૃધ્ધાને બંધક બનાવીને એક લાખની રોકડ, ૧૦ તોલાનું સોનાનું બિસ્કીટ, ચેન સહિતના દાગીના મળી કુલ ૧૪ લાખની દિલધડક લુંટ ચલાવીને પલાયન થઇ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી, તાબડતોબ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરી સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસની કાર્યવાહીનો ધમધમાટ આદર્યેા હતો, બનાવ અંગે વૃધ્ધા દ્રારા બે અજાણ્યા ઇસમોની સામે સીટી–એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા પોલીસ દ્રારા આ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર તારમામદ સોસાયટી બ્લોક ન.ં ૨૬ ખાતે આવેલા નુરૂબી નામના બંગલા ખાતે રહેતા ફરીદાબેન મુસ્તુફાભાઇ અત્તરીયા (ઉ.વ.૫૮) દાઉદી વ્હોરા નામની વૃધ્ધા ગઇકાલે બપોરના સુમારે પોતાના ઘરે હતા એ દરમ્યાન બે અજાણ્યા ઇસમો આયુર્વેદીક દવા આપવાનું કહીને અંદર ઘુસ્યા હતા, મહિલાને પગથી લાત મારીને નીચે પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી મોઢામાં કપડુ ભરાવી દઇ અને કોઇ દોરી વડે તેણીના બંને હાથ પગ બાંધી દઇ બીજા રૂમમાં ગેરકાયદે બંધક, અટકાયત કરી હતી.
દરમ્યાન વૃધ્ધાએ ગળામાં પહેરેલ ૧૨ ગ્રામની સોનાની ચેઇન કિ. ૫૫ હજારની લુંટ કરી હતી, તેમજ બીજા રૂમની અંદર લુંટારૂઓએ પ્રવેશ કરીને તિજોરીની ચાવી કે અન્ય કોઇ રીતે તિજોરી ખોલીને અંદરથી રૂા. ૧ લાખ તથા ૧૦ તોલાનું સોનાનુ બિસ્કીટ કિ. ૫.૫૦ લાખ તેમજ સોનાની ૬ ગ્રામની બુંટી તથા સોનાની બે ૩ ગ્રામની ગીની અને સોનાની ૪ બંગડી, નવા જુના ભાવની ૧૨ તોલા કિ. ૬.૬૦ લાખ ઉપરાંત ચાંદીની વીંટી, માણેક નંગવાળી મળી કુલ ૧૪.૦૭.૫૦૦ના મુદામાલની લુંટ ચલાવીને શખ્સો પલાયન થઇ ગયા હતા.
આ અંગેની જાણ થતા ભારે દોડધામ મચી ગઇ હતી, તાબડતોબ સીટી–એ ડીવીઝન પોલીસની ટુકડી દોડતી થઇ હતી, ધોળા દિવસે બનેલી ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે, દરમ્યાનમાં ફરીદાબેન અત્તરીયા દ્રારા સીટી–એ ડીવીઝનમાં બે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ઉપરોકત દાગીના સહિતનો મુદામાલની લુંટ ચલાવ્યાની વિધિવત ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદ આધારે સીટી–એ પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગામેતી અને સ્ટાફ દ્રારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે, તારમામદ સોસાયટી જેવા ધમધમતા વિસ્તારમાં દિનદહાડે દિલધડક લુંટનો બનાવ સામે આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકીદે ચારેતરફ નાકાબંધી કરી હતી ઉપરાંત એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી ઉપરાંત પોલીસ દ્રારા આ વિસ્તારના સીસી કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
વધુમા એવી પણ વિગત જાણવા મળી છે કે આયુર્વેદીક દવાના બહાને ઘુસેલા બુકાનીધારી શખ્સોએ ઘરમાં રહેલા વૃધ્ધા અને એક બાળકને બંધક બનાવ્યા હતા માર મારીને લુંટને અંજામ આપ્યો હતો જે બાબત અંગે પણ પોલીસ સધન તપાસ ચલાવી રહી છે. લુંટના બનાવથી શહેરમાં ભારે ચકચાર ફેલાઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે ઠંડીના દિવસોમાં ઘરફોડ ચોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે, વાહન અને મોબાઇલ ચોરીના બનાવો છાસવારે બને છે કેટલીક ચોરીના ભેદ પોલીસે ઉકેલી નાખ્યા છે ત્યારે લુંટનો બનાવ સામે આવતા સીટી–એ ઉપરાંત એલસીબી સહિતની ટુકડીઓ તપાસમાં જોડાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech