મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર થોડા દિવસો પહેલા તેમના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ પછી ઉત્તરાખંડના એક દૂરના ગામમાં 17 કલાક સુધી ફસાયેલા હતા. રાત્રિના અંધારા અને નિર્જન ગામમાં સ્થાનિક ગ્રામજનો સીઇસી રાજીવ કુમાર માટે દેવદૂત બનીને આવ્યા હતા. બીજા દિવસે જ્યારે આઈટીબીપીના જવાન ત્યાં પહોંચ્યા તો તેમણે ચૂંટણી કમિશનર માટે ચા બનાવી. કડકડતી ઠંડી વચ્ચે ચાનો કપ તેમના માટે સૌથી મોટી રાહત બન્યો હતો. હવે તેમણે ગામવાસીઓ અને આઈટીબીપીનો તેમના આતિથ્ય માટે આભાર વ્યક્ત કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર બુધવારે બપોરે પિથોરાગઢના દૂરના મતદાન મથકોની મુલાકાત લેવા મિલામ જઈ રહ્યા હતા. ત્યારે તેમના હેલિકોપ્ટરને ગાઢ વાદળો અને ઓછી વિઝિબિલિટીના કારણે પાઇલટ અને અન્ય બે લોકો સાથે મુનસિયારીથી લગભગ 42 કિમી દૂર રાલમ ગામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બીવીઆરસીસી પુરૂષોત્તમને લખેલા પત્રમાં રાજીવ કુમારે રાલમ ગામના રહેવાસીઓની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વહીવટીતંત્ર આપત્તિ વ્યવસ્થાપ્નમાં સ્થાનિક રહેવાસીઓની ભાગીદારીના આ ઉદાહરણને નીતિ તરીકે અપ્નાવશે અને તેમને પ્રોત્સાહિત અને સન્માનિત કરશે. સીઇસી રાજીવ કુમારે કહ્યું, ’હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમારા સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરું છું.’ તેમણે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના મહાનિર્દેશકને પણ પત્ર લખ્યો અને પિથોરાગઢ જિલ્લાના ધારચુલા ખાતે તૈનાત બચાવ દળની પ્રશંસા કરી.
લગભગ 12,000 ફૂટની ઉંચાઈ પર આવેલું રાલમ બરફથી ઢંકાયેલું હતું, જેના કારણે તેના તમામ રહેવાસીઓ થોડા દિવસો પહેલા પાટોન ગામમાં તેમના શિયાળાના નિવાસસ્થાને ગયા હતા, જેના કારણે ગામ નિર્જન બની ગયું હતું. મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પાટોન ગામના ઈશ્વર સિંહ નબિયાલ, સુરેન્દ્ર કુમાર અને ભૂપેન્દ્ર સિંહ ઢાકરિયાલ રાતે લગભગ 1 વાગે ચૂંટણી કમિશનરની ચાર સભ્યોની ટીમ પાસે કેટલીક દવાઓ અને ખાદ્યપદાર્થો સાથે પહોંચ્યા હતા. પાયલોટ ઉપરાંત ઉત્તરાખંડના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી વીકે જોગદંડે અને અન્ય એક વ્યક્તિ પણ સીઇસી સાથે હાજર હતા.
રાજીવ કુમારે પોતાના પત્રમાં લખ્યું છે કે એક કહેવત છે કે ડૂબતો માણસ તણખલાનો સહારો લે છે. આ કહેવત ત્યારે સાચી પડી જ્યારે તે ત્રણ લોકો ભગવાનના રૂપમાં રાલમ ગામમાં અમારી પાસે પહોંચ્યા. તેમનો પાલતુ કૂતરો પણ આ ટીમ સાથે હતો, જે ટીમમાં ચોથા સભ્ય અને સુરક્ષા કવચની ભૂમિકા ભજવી રહ્યો હતો. સવારે લગભગ 5 વાગ્યે આઈટીબીપી જવાનોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાજીવ કુમાર અને તેમની ટીમ માટે ચા બનાવી. સવારે છ વાગ્યે હેલિકોપ્ટર ટીમ સાથે મુન્સિયારી જવા માટે ઉપડ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech