હું પણુ મટે તેનું નામ જ મુક્તિ - મોરારીબાપુ

  • May 03, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ કામીનિયાનગરમાં ગૌરીશંકર નારણભાઈ ધાંધલ્યા (વાવડી) પરિવાર દ્વારા પૂજ્ય સીતારામ બાપુ શિવકુંજ આશ્રમ અધેવાડાના  વ્યાસાસને ચાલતી શ્રીમદ ભાગવત કથામા રામ જન્મ અને કૃષ્ણ જન્મની કથા વર્ણવી હતી.
આજની કથાના પ્રથમ સત્રમાં સવારે મોરારીબાપુ તેમની નંદપ્રયાગ ખાતેની કથામાં જતા પૂર્વે પધારેલ અને કથા શ્રવણ કરેલ બાદ આશીર્વચન આપતા કહ્યું હતું કે પૂર્ણા અવતાર ભગવાન શ્રીકૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત તે કથા શ્રવણ કરવાનો આજે મને લાભ મળ્યો છે આમ તો  સીતારામ બાપુની કથા અગાઉ પણ શ્રવણ કરી છે પરંતુ આજે વધુ લાભ મળ્યો તેનો આનંદ છે મારી દ્રષ્ટિએ ભાગવત નો પ્રથમ અક્ષર ભા - એટલે કે ભારત દેશ જેમાં ગંગા તટે શ્રીમદ ભાગવતનું કથાગાન શુકદેવજી દ્વારા થયું અને ત્યારબાદ દરેક વક્તાઓ ભાગવતરૂપી ભાગીરથી ગંગા ને દેશ-વિદેશમાં વહાવે છે બીજો અક્ષર - ગ એટલે ગગન જ્યાં ગરુડજી કાગભુષંડીજીને કથા ગંગા નું પાન કરાવે છે ત્રીજો અક્ષર વ એટલે વસુધા કે જ્યાં આપણે બધા પૃથ્વી પર અલગ અલગ વક્તાઓ પાસે કથા શ્રવણ કરીએ છીએ અને ચોથો અક્ષર ત એટલે અતલ વિતલ અને તલાતલ જ્યાં બલિરાજા કથા શ્રવણ કરે છે એમ સમગ્ર લોકમાં કથાગાન થતું રહે છે અને કોઈને કોઈ શ્રવણ કરતું જ રહે છે માટે જ કથા કોઈપણ અવતારની હોય પરંતુ તેને કહેવાય "સત્યમ પરમ ધીમહી"
ત્યારબાદ કથાને પૂજ્ય સીતારામ બાપુ દ્વારા રામ જન્મ ની કથા સુધી લઈ જવામાં આવી અને બીજા સત્રમાં કૃષ્ણ જન્મની કથા વર્ણવતા કહ્યું હતું કે કૃષ્ણ એટલે ગાય ગોપી અને ગીતાનું સંયોજન છે. કૃષ્ણએ યોગેશ્વર છે જ્યારે શિવ એ યોગીશ્વર છે કારણ કે કૃષ્ણએ પ્રવૃત્તિ ધર્મનાઆચાર્ય છે અને શીવ એ નિવૃત્તિ ધર્મના આચાર્ય છે. કૃષ્ણ એ પરમ તત્વનું નામ છે જ્યારે સમગ્ર વિશ્વને નિરાશા આપે ત્યારે કૃષ્ણએ આશાનું એક અમર નામ છે.  અને ઉત્સવ મનાવવામાં આવ્યો આજની કથામાં મહામંડલેશ્વર ૧૦૦૮ ભગવાનદાસ બાપુ વિશાલદાસ બાપુ કૃષ્ણદાસ બાપુ અને કરુણાશંકર દાદા ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application