માઇકલ હેયસ નામના ભૂતપૂર્વ આઇરિશ રિપબ્લિકન આર્મી (આઇઆરએ) કમાન્ડરે દાવો કર્યેા છે કે તેણે ઓગસ્ટ ૧૯૭૯માં લોર્ડ માઉન્ટબેટનની હત્યાનું કાવતં ઘડું હતું. લોર્ડ અર્લ લુઈસ માઉન્ટબેટન, બીજા વિશ્વયુદ્ધના હીરો, કિવન એલિઝાબેથ બીજાના બીજા પિતરાઈ ભાઈ અને ભારતના છેલ્લા વાઇસરોય હતા.
હેયસે એવો દાવો કર્યેા હતો કે લોર્ડ માઉન્ટબેટનની હત્યા પાછળ તે પોતે નહિ પરંતુ થોમસ મેકમોહન હતા, જેમને નવેમ્બર ૧૯૭૯માં ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મેકમોહનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ બાદમાં ગુડ ફ્રાઈડે કરારની શરતો હેઠળ ૧૯ વર્ષ જેલમાં રહ્યા બાદ ૧૯૯૮માં તેને મુકત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, માઈકલ હેયસે કહ્યું, 'હા, મેં તેને ઉડાવી દીધો. મેકમોહને તેને તેની બોટ પર બેસાડો... મેં બધું પ્લાનીંગ કયુ, હત્પં કમાન્ડર ઇન ચીફ છું, મેં સ્લિગોમાં અર્લ માઉન્ટબેટનને ઉડાવી દીધા, પણ મારી પાસે એક કારણ હતું, તે મારા દેશમાં આવ્યો અને મારા લોકોને મારી નાખ્યો અને હુ તેની સાથે લડો. મેં તેના પર વળતો પ્રહાર કર્યેા. મેં અર્લ માઉન્ટબેટનને ઉડાવી દીધો. ટોમ મેકમોહન, માત્ર એક ભાગીદાર હતો. હુબ્લાસ્ટનો એકસપર્ટ છું, પ્રખ્યાત છું. મને લિબિયામાં તાલીમ આપવામાં આવી હતી.
લોર્ડ માઉન્ટબેટનની આઇરિશ રિપબ્લિકન આર્મી દ્રારા હત્યા કરવામાં આવી હતી કારણ કે તેમણે ઉત્તરી આયર્લેન્ડને ઈંગ્લેન્ડનો ભાગ બનવાનો વિરોધ કર્યેા હતો. વોશિંગ્ટન પોસ્ટમાં મેકમોહનને દોષિત ઠેરવવાના ૧૯૭૯ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ગાર્ડાઇએ માઉન્ટબેટનની ફાઇલ એવી માન્યતામાં ખોલી હતી કે તે કાવતરામાં અન્ય સાત લોકો સામેલ હતા. હેયસ ૧૯૭૦ અને ૧૯૮૦ ના દાયકાના અંતમાં આઇઆરએના ઈંગ્લેન્ડ વિભાગના નાયબ વડા હતા. કિંગ ચાલ્ર્સ ત્રીજાના દાદા માઉન્ટબેટન માર્યા ગયા યારે મેકમોહન અને અન્ય આઇઆરએ સભ્યોએ તેમના માછીમારી જહાજ શેડો વી પર ૫૦ પાઉન્ડના બોમ્બને વિસ્ફોટ કર્યેા.
આ બોમ્બ બ્લાસ્ટમાં માઉન્ટબેટનનો ૧૪ વર્ષનો પૌત્ર નિકોલસ નેચબુલ પણ માર્યેા ગયો હતો. કિશોરોના મૃત્યુ અંગે, હેયસે કહ્યું કે હા, મને તેનો અફસોસ છે, આવું ન થવું જોઈએ. હત્પં પિતા છું, હત્પં પથ્થરનો નથી, હત્પં બીમાર હતો, હત્પં રડો. તે બાળકો હોડી પર નતા હોવા જોઈતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech