મકરસંક્રાંતિ પૂરી થતા ની સાથે જ હવે આવતીકાલથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર એક ની પરીક્ષાનો પ્રારભં થઈ રહ્યો છે. આવતીકાલથી શ થતી આ પરીક્ષામાં ૬૯૨૩૪ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
પરીક્ષા ખંડમાં ચાલતી ગતિવિધિઓ યુનિવર્સિટીની વેબસાઈટ પર જોઈ શકાય તેવી વ્યવસ્થા ભૂતકાળમાં કરવામાં આવી હતી પરંતુ છેલ્લી થોડી પરીક્ષાથી તે કોઈ જાતની જાહેરાત વગર બધં કરી દેવામાં આવી છે અને આવતીકાલે શ થતી પરીક્ષામાં પણ આવી વ્યવસ્થા બધં રહેનાર હોવાનું યુનિવર્સિટીના સૂત્રોમાંથી જાણવા મળે છે.
આવતીકાલથી શ થતી પરીક્ષામાં ૧૬૨ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે અને ૧૦૩ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. કલાસમમાં સુપરવાઇઝર પણ ચેકિંગ કરશે. સૌથી વધુ પરીક્ષાર્થીઓ બીએ સેમેસ્ટર એકમાં ૨૧૯૧૩ નોંધાયા છે. ત્યારે બીકોમમાં સેમેસ્ટર એકમાં ૧૯૬૫૧ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. બીબીએ સેમેસ્ટર ૧ માં ૬૧૬૩ અને બીસીએ સેમેસ્ટર એકમા ૮૩૩૬ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
ગઈકાલે યારે બધા લોકો મકરસંક્રાંતિની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે સેમેસ્ટર એકના વિધાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા. યુનિવર્સિટીએ ગઈકાલે જ તેની વેબસાઈટ પર દરેક પરીક્ષાર્થીની હોલ ટિકિટ મૂકી દીધી હતી અને તે ડાઉનલોડ કરીને મેળવવાની પ્રક્રિયા ગઈકાલે આખો દિવસ અને આજે પણ ચાલુ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech