દિલ્હી હાઈકોર્ટે બાળકની કસ્ટડી મુદે ચાલી રહેલા એક કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, 'વ્યભિચારી જીવનસાથી અસમર્થ માતા–પિતા સમાન નથી અને કોઈ વ્યકિતનું લેત્તર સંબંધો તેને બાળકની કસ્ટડીથી વંચિત રાખવાનો નિર્ણય લેવાનો એકમાત્ર આધાર હોઈ શકે નહીં. હાઈકોર્ટે કહ્યું હતું કે છૂટાછેડાની કાર્યવાહી અને બાળ કસ્ટડીના કેસ એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે, પરંતુ તેઓ હંમેશા 'પરસ્પર અસંબંધિત' હોય છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે કહ્યું કે જો માતા–પિતામાંથી કોઈ એકના લેતર સંબંધો હોવાનું સાબિત થાય તો પણ તેને બાળકોની કસ્ટડીથી વંચિત રાખી શકાય નહીં. સિવાય કે તે સાબિત કરવા માટે કેટલાક પુરાવા હોય. બની શકે કે આવા વ્યભિચારી કૃત્યથી બાળકના ભવિષ્ય પર અસર પડી હોય. હાઇકોર્ટ એક પુષ અને તેની પત્ની દ્રારા તેમની ૧૨ અને ૧૦ વર્ષની વયની બે સગીર પુત્રીઓની સંયુકત કસ્ટડી આપવાના ફેમિલી કોર્ટના આદેશ સામે કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી.ત્યારે આ ચુકાદો આપ્યો હતો.
પતિ–પત્નીના સામસામાં આરોપો
મહિલાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ બેદરકાર અને બેજવાબદાર છે અને તેને અને તેના બે બાળકોને લગભગ અઢી વર્ષથી છોડીને કોઈ આશ્રમ કે અજાણ્યા સ્થળે ચાલ્યો ગયો હતો. વ્યકિતએ દાવો કર્યેા હતો કે પત્ની દ્રારા બાળકોની કસ્ટડી માટે દાખલ કરવામાં આવેલી અરજી ક્રૂરતા અને વ્યભિચારના આધારે તેણી દ્રારા દાખલ કરવામાં આવેલી છૂટાછેડાની અરજીના જવાબમાં હતી. મહિલાએ દાવો કર્યેા હતો કે બાળકોનું તેની કાકી દ્રારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને તેના સાસરિયાના ઘરેથી કાઢી મુકવામાં આવી હતી.તેણીએ આક્ષેપ કર્યેા હતો કે તેણીને તેની પુત્રીઓ સાથે વાત કરવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે તેણીએ બાળકોની કસ્ટડી મેળવવા માટે અરજી દાખલ કરી હતી. પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની બેજવાબદાર છે કારણ કે તે બાળકોની સંભાળ રાખતી નથી અને તેનો મોટાભાગનો સમય ગેરકાયદેસર બાબતોમાં વિતાવે છે. તેણે દલીલ કરી હતી કે તેની પત્ની વ્યભિચારમાં સંડોવાયેલી હતી, જેના કારણે તેણે બાળકોની સંભાળ રાખી ન હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech