તા. ૬-૨-૨૫ ને ગુરુવારે આયોજન
ગાયત્રી પરિવાર જામજોધપુર અને શિવાનંદ મિશન વીરનગર તેમજ ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ નાં સંયુક્ત ઉપક્રમે અગામી તા.૬-૨-૨૫ ને ગુરુવારે નેત્ર યજ્ઞ-દંત યજ્ઞ નું આયોજન સવારે ૯ થી ૧૨ ગાયત્રી મંદિર,મીનીબસ સ્ટેશન પાસે, ધ્રાફારોડ, જામજોધપુર ખાતે કરવામાં આવેલ છે. શિવાનંદ મિશન વીરનગર નાં નિષ્ણાત આંખ નાં સર્જન ની ટીમ આંખ નાં દર્દી ને તપાસી જરૂર મુજબ દવા અને માર્ગદર્શન આપશે તથા મોતિયા ની તકલીફ હશે તેને ઓપરેશન માટે વીરનગર સંસ્થા ની બસ માં લઇ જશે અને વિના મુલ્યે ઓપરેશન કરી પરત જામજોધપુર મૂકી પણ જશે.આ સાથે રહેવા જમવા અને દવા સહિત તમામ સુવિધા મફત મળશે.
દાંત ના કેમ્પ માં ડો.જયસુખ મકવાણા, ડો.સંજય અગ્રાવત તેમજ મોનિકા ભટ્ટ અને જાગૃતિ યૌહાણ હસુભાઈ મકવાણા, રાજુભાઈ વરિયા, સેવા આપશે. દાંત ના રોગીની તપાસ કરી જરૂરી હશે તેમના દાંત "જાવંધર બંધ" વડે ઇન્જેક્શન વગર સ્થળ પર જ કાઢી આપશે.દાંત ની બત્રીસી ટોકન ભાવે બનાવી આપવાની વ્યવસ્થા છે ઉપરાંત પાયોરિયા, પેઢાંમાંથી લોહી પડવું દાંત માં દુખાવો વિ. રોગી ને દવા પણ આપવામાં આવશે. આ બન્ને કેમ્પ નો લાભ લેવા ગાયત્રી પરિવાર નાં કાર્યકરો એ અપીલ કરેલ છે .જામજોધપુર અને આસપાસ જાહેર જનતા ને લાભ લેવા હસુભાઈ મકવાણા એ અનુરોધ કરેલ છે.વધુ વિગત માટે ૯૪૦૯૭૭૩૬૭૪ નંબર પર સમ્પર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech