ભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવ જેટલી બેંચની સુવિધા થઈ ઉપલબ્ધ

  • May 03, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં સામાજિક સંસ્થા દ્વારા ભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બેંચ મુકવામાં આવી હતી.
ઇનર વ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા ભાવેશ્ર્વર મંદિરમાં દર્શનાર્થીઓ માટે બેસવાની ૯ જેટલી બેન્ચીસ મુકવામાં આવી હતી, તે બેન્ચીસના ડોનર જોઈન્ટ સેક્રેટરી નીતુ લાખાણી તરફથી ચાર બેન્ચીસ, પ્રેસિડેન્ટ દીપા દતાણી, સેક્રેટરી નેહા કારીયા તરફથી ૧ બેન્ચ, વાઈસ પ્રેસિડન્ટ પુજા બારાઈ, પાસ્ટ પ્રેસિડન્ટ રાધિકા કોટેચા તરફથી ૧ બેન્ચ, પાસ્ટ પ્રેસિડન્ટ મીનાબેન મજીઠીયા તરફથી ૧ બેન્ચ,ઇનર વ્હીલ મેમ્બર્સ દિપ્તીબેન લાખાણી તરફથી ૧ બેન્ચ, કાનાબાર પરિવાર તરફથી ૧ બેન્ચ મુકવામાં આવી હતી. 
આ તમામ બેન્ચીસની સુંદર વ્યવસ્થા કરી આપવા બદલ પ્રેસિડેન્ટ દીપા દત્તાણીએ રોટેરીયન જીજ્ઞેશભાઈ લાખાણીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો આ સાથે બેન્ચીસ મંદિરમાં પહોંચ્યા બાદની તમામ વ્યવસ્થા કરી આપવા બદલ રોટેરીયન ચિરાગભાઈ કારીયા, રોટેરીયન રોહિતભાઈ લાખાણી, રોટેરીયન વિજયભાઈ મજીઠીયા, રોટરિયન પ્રિતેશભાઈ લાખાણીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો,આ પ્રોજેક્ટમાં હાજરી આપવા બદલ વાઈસ પ્રેસિડેન્ટ પુજા બારાઈ, સેક્રેટરી નેહા કારીયા,પાસ્ટ પ્રેસિડન્ટ હેતલ શાહ,પાસ્ટ પ્રેસિડન્ટ મીના મજીઠીયા, ટ્રેઝરર જિજ્ઞા લાખાણી, એડિટર બિંદિયા મોનાણી, પુર્વીબેન અમલાણીનો પણ આ તકે  આભાર વ્યક્ત કર્યો હતો,ત્યાં રહેતા પુજારી તેમજ આવેલા દર્શનાર્થીઓ પણ ખુશ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application